બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં પથ્થરમારો, 200ના ટોળા સામે થઇ ફરિયાદ, 13 પકડાયા
Last Updated: 11:13 PM, 10 August 2026
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં યોજાયેલી રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે કુલ 14 નામજોગ આરોપીઓ સહિત અન્ય 200 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસ દરમિયાન પોલીસે 14માંથી 13 આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પથ્થરમારાની ઘટના બની
મળતી માહિતી મુજબ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન DJ સાથે રેલી કાઢવામાં આવતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસતાં પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારા બાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT

સમગ્ર મામલે તપાસ શરૂ કરી
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે રેલી દરમિયાનના CCTV સર્વેલન્સ કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી.
13 આરોપીઓને ઝડપી પાડ્યા
ADVERTISEMENT
તપાસ દરમિયાન પોલીસે કુલ 14 નામજોગ આરોપીઓ પૈકી 13 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા 13 આરોપીઓ પૈકી 10 આરોપીઓ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, જામનગરમાં એક જ દિવસમાં 3 બાળકોનાં મોત
ADVERTISEMENT
હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.