બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, જામનગરમાં એક જ દિવસમાં 3 બાળકોનાં મોત
Last Updated: 10:27 PM, 10 August 2026
જામનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયા છે, જેમાંથી 8 બાળ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે એક જ દિવસમાં વધુ ત્રણ બાળકોના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ADVERTISEMENT
આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું
મળતી માહિતી મુજબ, ધ્રોલના એક બાળક અને કાલાવડના બે બાળકો સહિત કુલ ત્રણ બાળ દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે અને ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોની દેખરેખ વધારી દેવામાં આવી છે.
ADVERTISEMENT

બે બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું
ADVERTISEMENT
હાલમાં જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ બે બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તબીબોની ટીમ દ્વારા બંને બાળકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી
જામનગરમાં અત્યાર સુધી નોંધાયેલા 12 કેસમાંથી 8 બાળકોના મોત થયા હોવાથી ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને એક જ દિવસમાં ત્રણ બાળકોના મોતની ઘટનાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં મહિલાના મોત બાદ હોબાળો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
આરોગ્ય તંત્ર દ્વારા સંભવિત ચાંદીપુરા કેસોની વહેલી ઓળખ, સારવાર અને જરૂરી તકેદારી માટે કામગીરી તેજ કરવામાં આવી છે. વાલીઓને બાળકોમાં ચાંદીપુરા વાયરસના સંભવિત લક્ષણો જોવા મળે તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની અપીલ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.