બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં મહિલાના મોત બાદ હોબાળો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
Last Updated: 09:52 PM, 10 August 2026
સુરેન્દ્રનગર દુધરેજ નજીક નર્મદા કેનાલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલા શાહીન ખોખર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મૃતક મહિલાના પરિવારજનોએ તેના સાસરીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, સાસરીયાઓ દ્વારા આપવામાં આવતા કથિત ત્રાસથી કંટાળીને શાહીન ખોખરે આપઘાતનું પગલું ભર્યું હતું.

ADVERTISEMENT
મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સાસરીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ઘટનાને પગલે પોલીસ પણ ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોલસાની આડમાં ચાલતો ગાંજાનો ગોરખધંધો, ઓડિશાથી આવતો ગાંજો, 64 લાખનો મુદ્દામાલ જપ્ત
મહિલાના મોત પાછળના ચોક્કસ કારણો તેમજ પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.