બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / Salt and brinjal are planted in the temple of this Mahadev in Gujarat, with quick healing of sick children
Dinesh
Last Updated: 07:19 AM, 12 February 2024
ડીસા તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના તટ પર 700 વર્ષ જૂનું સોનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરનો ઇતિહાસ પીપળના પાન સાથે જોડાયેલો છે. હાલ મંદિર છે તે સ્થળ પર વર્ષો પહેલા સાધુ સંતો પૂજા અર્ચના કરવા માટે આવ્યા હતા. તે સમયથી બનાસ નદીના તટ પર સોનેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે.. સોનેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્ય થાય છે.
પ્રાચીન મહાદેવના મંદિરથી પડ્યું ગામનું નામ
બનાસકાંઠા જિલ્લામાથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. જે ગામનો ઇતિહાસ વર્ષો જૂનો છે. અને ગામનું નામ પ્રાચીન મહાદેવ મંદિરના કારણે મહાદેવિયા પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો આ સ્થળ પર વસવાટ માટે આવ્યા ત્યારે ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું.. અને ગામ લોકોએ મંદિરનું સમારકામ કરાવી, મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું. ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં બિરાજમાન મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ... સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ પૌરાણિક છે.
ગ્રાંથમાં બુકમાર્ક તરીકે મુકાયેલું પીપળાનું પાન થયું સોનાનું
સદીયો પહેલા આ સ્થળે સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા. તેવામાં એક દિવસ પાન સોનાનું થઈ જતાં મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવથી વિખ્યાત થયું. બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિઝવવા માટે શિવાલયની પુજા અર્ચના કરવા માટે આવતા હોય છે. સોનેશ્વર મહાદેવની જમીન તપોભૂમિ હોવાના કારણે અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે હવન કરાવે છે. અને ભાવિકો નિયમિત ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે છે.
મીઠું અને રીંગણ ચડે છે
મહાદેવના મંદિરેમાં ભક્તો શિવજીના દર્શન કરી મીઠું અને રીંગણ ચઢાવે છે..શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. બનાસ નદીના તટ પર બિરાજતા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે અને મેળામાં ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડે છે.
ખેડૂતોની મહાદેવના મંદિરે અપાર શ્રદ્ધા
મહાદેવના મંદિરે સાકર અને ગોળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. બાળકોને કોઈપણ પ્રકારની બીમારી થઈ હોય તો ભાવિકભક્તો સાકર અને ગોળની બાધા રાખે છે અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ભાવિકો ભોળાનાથના દર્શન કરવા અચૂક આવે છે. સોનેશ્વર મહાદેવના મંદિરે ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થાથી આવતા હોય છે. મહાદેવનુ આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ખેડૂતોને ખૂબ શ્રદ્ધા રહેલી છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ખેડૂતો પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા પહેલા અચૂક મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે.
વાંચવા જેવું: યુવતીનો ફોટો મોકલી મજા માણવાની ઓફર, બંગલામાં બન્યું એવું કે બિલ્ડરને 30 લાખની અડી, સુરતનો ચેતવતો કિસ્સો
બીમાર બાળકો માટે માં માને છે સાકર અને ગોળની માનતા
પોતાના ખેતરોમાં શાકભાજી કઠોળ સહિત કોઈ પણ પ્રકારનો પાક તૈયાર થાય તો સૌથી પહેલા પ્રસાદ રૂપે ભગવાન ભોળાનાથ ના ચરણોમાં ધરાવવામાં આવે છે અને તે બાદ ખેડૂતો પોતાનો પાક બજારમાં વહેંચવા માટે જાય છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ચાલી આવતી પરંપરાને આજની પેઢીએ પણ જાળવી રાખી છે. ખેડૂતોનું માનવું છે કે ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે પહેલો પાક ચડાવવામાં આવે છે જેના કારણે પોતાના ખેતરમાં સારો પાક તૈયાર થાય છે અને બજારમાં પાકની આવક પણ સારી થાય છે. ડીસામાં બનાસ નદીના રમણીય તટ પર 700 વર્ષથી બિરાજમાન સોનેશ્વર મહાદેવ મંદિર, સોનેરી ઇતિહાસ સાથે ભાવિક ભકતોની આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime