બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / Sadhu's ultimatum to Maharashtra government, start this or we will break the lock
ADVERTISEMENT
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પ્રમાણે અનલોકના વિવિધ તબક્કાઓ લાગૂ કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત ઘણા ક્ષેત્રની છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા આપવામાં આવી નથી.

ADVERTISEMENT
રાજ્યપાલ અને CM ઉદ્ધવ ઠાકરે વચ્ચે થયો હતો વિવાદ
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ની વચ્ચે આ વાતને લઈને વિવાદ પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે CM ઉદ્ધવ ઠાકરે ને પત્ર લખીને મંદિરો ખોલવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે તમારું હિંદુત્વ ભૂલી ગયા? આ પત્રને લઈને ઘણો વિવાદ થયો હતો, શિવસેના સુપ્રીમોએ આ પત્રની સામે સામો પત્ર લખીને રાજ્યપાલને જવાબ પણ આપ્યો હતો.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારમાં સામેલ NCP ચીફ શરદ પવારે આ અંગે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે રાજ્યપાલના સ્વતંત્ર વિચારો માટે માન છે પરંતુ પત્રની ભાષા યોગ્ય નથી, હું તેને જોઇને સ્તબ્ધ થઈ ગયો હતો.

ADVERTISEMENT
"..નહિ તો તાળા તોડી નાંખીશું" : સાધુઓ
મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવા માંગતા સાધુઓએ રાજ્ય સરકારને 1 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સાધુઓએ કહ્યું છે કે 1 નવેમ્બર સુધી મંદિરો ખોલવા દેવા જોઈએ, અન્યથા સંતો તાળાઓ તોડી મંદિરમાં પ્રવેશ કરશે. આજે સાધુઓના પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યા અને કહ્યું કે છેલ્લા સાત મહિનાથી મંદિરો બંધ છે પરંતુ કોઈ અમારી વાત સાંભળવાનું નથી. સાધુઓએ રાજ્ય સરકારને 1 નવેમ્બરના રોજ મંદિર ખોલવાનો અલ્ટીમેટમ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.