બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sachin Tendulkar Receives Invitation for Pran Pratishtha Ceremony of Ram Temple in Ayodhya

અયોધ્યા મંદિર / સચિન તેંડુલકર માટે ધન્ય ઘડી, મળ્યું રામ મંદિર પ્રતિષ્ઠાનું આમંત્રણ, આ બે ભેટ ઘેર લઈ જઈને જશે

Hiralal

Last Updated: 05:50 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના ભગવાન ગણાતાં સચિન તેંડુલકરને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • સચિન તેંડુલકર પણ બનશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી
  • રામ જન્મભૂમિ ટ્રસ્ટે આપ્યું આમંત્રણ 
  • ધાર્મિક વિધિ બાદ ખોદકામની માટી અને મોતીચૂરના લાડૂને ભેટ મળશે 

રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી (સોમવાર)ના રોજ થવાનો છે. આ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સમારોહ પહેલા અયોધ્યા નગરીને ભવ્ય રીતે સજાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમ માટે અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત હજારો લોકો સામેલ થશે.

સચિન તેંડુલકરને પણ આમંત્રણ મળ્યું
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પવિત્ર સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સચિન ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ આમંત્રણ મળ્યું છે. 

મહેમાનોને ખોદકામ વખતે નીકળેલી માટી ભેટમાં અપાશે 
પવિત્ર વિધિમાં ભાગ લેનારા મહેમાનોને ફાઉન્ડેશનના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી માટી ભેટમાં અપાશે જેને હાલમાં ડબ્બામાં પેક કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શણની થેલીઓથી ભરેલા રામ મંદિરની 15 મીટરની તસવીર ભેટમાં આપવામાં આવશે. આ પવિત્ર સમારંભમાં 11,000થી વધુ મહેમાનો અને આમંત્રિતોને યાદગાર ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રામ જન્મભૂમિની માટી ઉપરાંત પ્રસાદ તરીકે 100 ગ્રામ મોતીચૂરના લાડુ પણ મહેમાનોને આપવામાં આવશે.

3,000 વીવીઆઈપી સહિત 7,000 લોકોને આમંત્રણ 
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ માટે 3,000 વીવીઆઈપી સહિત લગભગ 7,000 લોકોને આમંત્રણ મોકલ્યું છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ પવિત્ર સમારોહમાં હાજરી આપશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram Temple Ayodhya Ram Temple Inauguration Ayodhya Ram Temple news Ayodhya Ram Temple. Ayodhya Ram Temple news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ