Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ યુદ્ધની વચ્ચે વ્લાદિમીર પુતિનના એક નિવેદનથી આખી દુનિયામાં મચ્યો ખળભળાટ.
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર
રાષ્ટ્રપતિ પુતિને નાટોને સીધા શબ્દોમાં આપી ચેતવણી
ભારતે શાંતિપૂર્ણ વાતચીતનું સમર્થન કર્યું: પુતિન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનથી ફરી આખી દુનિયામાં દહેશત વધી ગઈ છે. તેમણે ફરી દુનિયાને ચેતવણી આપતા કહ્યું છે કે જો નાટો સેના યુદ્ધમાં ભાગ લેશે તો વૈશ્વિક તબાહી નિશ્ચિત છે.
Russian President Putin says that any direct clash of NATO troops with Russia would lead to a "global catastrophe": Reuters pic.twitter.com/QFiapU3heO
આટલું જ નહીં વ્લાદિમીર પુતિનને જ્યારે પૂછવામાં આવ્યું કે યુદ્ધ કર્યા બાદ શું તમને જરા પણ અફસોસ કે પસ્તાવો છે? તો તેમણે કહ્યું ના નથી.
Russian Pres Putin says "No" when asked if he had regrets about the conflict in Ukraine, & that Russia was doing the right thing: Reuters
Speaking at a press conference in Kazakh capital Astana, Putin said it wasn't Russia's objective to destroy Ukraine, reports the news agency. pic.twitter.com/6lC3ATt26n
ભારત અને ચીન માટે આપ્યું મોટું નિવેદન
કજાકસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં પુતિનને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યા હતા જેમાં આ મોટા નિવેદન સામે આવ્યા છે. પુતિને એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં યુક્રેનને નષ્ટ કરવાનો અમારો કોઈ આશય હતો નહીં. નોંધનીય છે કે ભારતની સરકાર સતત આ યુદ્ધની વચ્ચે શાંતિની અપીલ કરી રહ્યું છે, જોકે ભારતનો સ્ટેન્ડ સ્પષ્ટ છે કે અમે કોઈ પણ પક્ષનો સાથ આપવાના નથી, એવામાં પુતિને ભારત અને ચીનને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. ભારત અને ચીનને લઈને તેમણે કહ્યું કે આ બંને દેશોએ શાંતિપૂર્ણ વાતચીતનું સમર્થન કર્યું હતું.
Russian President Putin says that India and China supported "peaceful dialogue" in Ukraine, a month after their leaders appeared to differ with him over the conflict at a summit in Uzbekistan last month: Reuters