બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Rudraksha is the only fruit which has many benefits to know, in terms of religion and science.
ADVERTISEMENT
રુદ્રાક્ષ જ એક માત્ર એવું ફળ છે જે અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે. શિવપુરાણ, પદ્માપુરાણ, રુદ્રાક્ષકલ્પ, રુદ્રાક્ષ મહાત્મ્ય ગ્રંથોમાં રુદ્રાક્ષની મહિમા જણાવવામાં આવી છે. કોઈ પણ રુદ્રાક્ષ હોય જે લાભદાયી છે. પરંતુ તેમનાં મહત્વ જુદા જદા હોય છે. દરેક રુદ્રાક્ષની ઉપર પટ્ટાઓ બનેલી હોય છે. જેમને રુદ્રાક્ષનું મુખ (મોં) કહેવાય છે.
આ પટ્ટાની સંખ્યા 1 થી લઈને 21 સુધી હોય છે. આ પટ્ટાઓની સંખ્યા ગણીને રુદ્રાક્ષનું વર્ગીકરણ 1 થી લઈ 21 મુખ સુધી કરવામાં આવે છે.
ADVERTISEMENT
ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં રુદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે ત્યાં અન્ન, વસ્ત્ર અને ધનની ક્યારેય ઓછપ રહેતી નથી. અને લક્ષ્મીનો સદેવ વાસ રહે છે. એવી ધારણા પણ છે. રુદ્રાક્ષને હંમેશા ધારણ કરનારને અને પૂજા કરનારને અંત સમયમાં શરીરને ત્યાગીને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે.
પૌરાણિક કથાઓમાં ઉલેલ્ખ છે જે સતીના ત્યાગથી શિવને ખુબ દુઃખ થયું અને તેમના આંસુ અનેક સ્થાનો પર પડ્યા અને રુદ્રાક્ષ ઉત્પન થયું. આ માટે રુદ્રાક્ષ ધારણ કરનારના બધા જ કષ્ટ ભગવાન લઈ લે છે.
ADVERTISEMENT
જ્યોતિષીય દ્રષ્ટિથી રુદ્રાક્ષ ધારણ કરનારને પણ મોટો ફાયદો થાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્ય બિમાર થવાનું મોટું કારણ ગ્રહોની પ્રતિકુળતાં છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોની પ્રતિકુળતા દુર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.