બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / અથાણાના બચેલા તેલનો આ રીતે કરો ફરી ઉપયોગ, ભોજનમાં ઉમેરાશે ટેસ્ટનો તડકો
Last Updated: 10:04 PM, 9 March 2025
અથાણું ભારતીય ભોજનનો એક અગત્યનો ભાગ છે અને તેને બનાવવામાં કાચા સરસવ તેલનો ઉપયોગ થાય છે. આ તેલ માત્ર અથાણાં ને હળવો તીખો અને સ્વાદિષ્ટ બનાવે છે. સાથે જ તેને લાંબા સમય સુધી બગડતા પણ અટકાવે છે. અથાણું પૂરું થયા પછી મોટા ભાગે આ તેલ બાકી રહી જાય છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે, લોકો તેને કચરામાં ફેંકી દે છે અથવા તેમાં નવું અથાણું નાખી દે છે. પરંતુ, શું તમે જાણો છો કે બચેલા અથાણાંના તેલનો અન્ય ઘણા પ્રકારે ઉપયોગ કરી શકાય? ચાલો કેટલીક શ્રેષ્ઠ રીતો જાણીએ જેના દ્વારા તમે આ તેલને પુનઃઉપયોગ કરી શકો છો.

ADVERTISEMENT
અથાણા ના બચેલા તેલનો કેવી રીતે ઉપયોગ કરવો?
ADVERTISEMENT
અથાણાંના બચેલા તેલનો શ્રેષ્ઠ ઉપયોગ માંસ, મચ્છી અથવા શાકભાજીને મરીનેટ કરવા માટે થઈ શકે છે. આથી તમારું ભોજન માત્ર સ્વાદિષ્ટ નહીં બને, પણ તેલના મસાલાઓના મિશ્રણથી એક નવો અને અનોખો ટેસ્ટ પણ આવશે.
ADVERTISEMENT
જો તમે સલાડ ખાવાનું પસંદ કરો છો, તો અથાણાંના બચેલા તેલનો ઉપયોગ સલાડ ડ્રેસિંગ તરીકે કરી શકાય. તેલની તીખાશ અને મસાલાદાર સ્વાદને લીધે શાકભાજીવાળા સલાડ વધુ ટેસ્ટી બની જશે.
ADVERTISEMENT
લોટ બાંધવા વખતે મોટેભાગે વાસણ ગંદુ થાય છે અને લોટ તેને ચોંટેલો રહેતો હોય છે. આવી સ્થિતિમાં, અથાણાંના બચેલા તેલને લોટ બાંધવાના વાસણમાં લગાવીને તમે સરળતાથી લોટ બાંધવાનું કામ કરી શકો છો. આથી લોટ વધુ નરમ બનશે અને વાસણમાં ચોટશે નહીં.
ADVERTISEMENT
જો તમને ચોખાઅથવા ચટણી પસંદ હોય, તો તેમાં આ બચેલા અથાણાંનું તેલ ઉમેરો. આ તેલનો સ્વાદ ચોખા અને ચટણીમાં વધુ મસાલેદાર અને તીખાશનો ઉમેરો કરશે.
વધુ વાંચો: બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે પીવડાવો પાંચ પ્રકારના ફ્રુટ અને વેજીટેબલ જ્યુસ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.