બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અમદાવાદમાં પ્રાચીન રામજી મંદિર, એક સદીથી પ્રજ્વલિત છે જ્યોત, દર્શન માત્રથી દિવ્ય આનંદની અનુભૂતિ

દેવ દર્શન / અમદાવાદમાં પ્રાચીન રામજી મંદિર, એક સદીથી પ્રજ્વલિત છે જ્યોત, દર્શન માત્રથી દિવ્ય આનંદની અનુભૂતિ

Last Updated: 06:30 AM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહમદાબાદના મેમનગર ખાતે આવેલું રામજી મંદિર, છેલ્લા 100 વર્ષથી ભક્તિ અને આસ્થાનું પ્રેરણાસ્ત્રોત બન્યું છે. આ મંદિર રામ, લક્ષ્મણ અને માતા સીતાની દિવ્ય મૂર્તિઓ સાથે ભક્તોના હ્રદયમાં શાંતિ અને શક્તિનું સંચાર કરે છે. અખંડ જ્યોત, પવિત્ર શિવલિંગ અને ભજન-કિર્તનથી ગુંજતું આ સ્થળ ભક્તોને ભગવાનના સાનિધ્યનો અનૂભવ કરાવે છે.

અમદાવાદના મેમનગર ગામના હ્રદયમાં આવેલ પ્રાચીન રામજી મંદિર, આશરે 100 વર્ષથી ભક્તોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નહીં, પરંતુ ભક્તિના અખંડ પ્રવાહનું તીર્થસ્થળ છે. અહીં આવતા ભક્તો માટે આ સ્થાન શાંતિ, શક્તિ અને આત્મિક સંતોષનો અહેસાસ કરાવે છે. મંદિરની પ્રભાવશાળી મૂર્તિઓ અને પવિત્ર વાતાવરણ ભક્તોને દિવ્ય અનુભૂતિ કરાવે છે.

Untitled-2

અમદાવાદના મેમનગરમાં રામજી મંદિર આવેલું છે. મેમનગરની મધ્યમાં વસેલું રામજી મંદિર માત્ર એક આરાધનાસ્થળ નથી, પરંતુ સદીઓથી ભક્તોની શ્રદ્ધા અને પરંપરાનું જીવંત સાક્ષી છે. મંદિરમાં રામ, લક્ષ્મણ અને માતા જાનકીની મૂર્તિઓ એટલી પ્રભાવશાળી છે કે મંદિરે આવતા દરેક ભક્તના મનમાં દર્શન પછી એક અવિર્ણનીય શાંતિ છવાઈ જાય છે. મૂર્તિઓમાં એક અનોખું તેજ છલકાય છે, જે ભક્તોને ભક્તિભાવમાં લીન કરી દે છે.

Untitled-3

મંદિરના પ્રાંગણમાં ઉમિયા માતાની અખંડ જ્યોત 100 વર્ષથી સતત પ્રજ્વલિત રહી છે જે ભક્તોની અડગ શ્રદ્ધાનો જીવંત પુરાવો છે. ભક્તો માને છે કે આ જ્યોત માત્ર પ્રકાશ નથી, પરંતુ ભક્તિના અવિનાશી દીવાના રૂપે તેમની માન્યતાઓને મજબૂત બનાવે છે. મંદિરના તળિયે સ્થિત રામેશ્વર મહાદેવનું પવિત્ર શિવલિંગ એક અનોખી આધ્યાત્મિક ઉર્જા ફેલાવે છે. શિવલિંગની પાસે પ્રજ્વલિત હનુમાનજીની અખંડ જ્યોત ભક્તોના મનમાં ભક્તિભાવ જગાવે છે અને તેમને અદભુત શાંતિનો અનુભવ કરાવે છે. ભક્તોને અહીં આવવાથી એક દિવ્ય શક્તિનો અહેસાસ થાય છે, જે મનને શાંત કરે છે અને આત્માને શક્તિ આપે છે.

Untitled-1

ભક્તિનું જીવંત કેન્દ્ર અને તહેવારોની ઉજવણી, દરરોજ થતી આરતી, ભજન અને રામધૂનથી મંદિર પ્રાંગણ ગુંજી ઉઠે છે. મંદિરમાં બહેનો દ્વારા કરવામાં આવતી રામધૂનના સ્વરોથી સમગ્ર વાતાવરણ ભક્તિની ભાવનાથી ભરાઈ જાય છે. રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતી અને શિવરાત્રિ જેવા પર્વોની મંદિરમાં ખૂબ જ ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવપુરાણ અને શિવ મહાકથાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

app promo4

નવરાત્રિ દરમિયાન ભક્તો ઉત્સાહપૂર્વક આરતી અને ભજનમાં ભાગ લે છે. તહેવારોના દિવસોમાં મંદિર રંગીન ઝગમગાટથી સજાવવામાં આવે છે અને આસપાસના ગામોમાંથી ભક્તો ઉમટી પડે છે. લોકો માને છે કે અહીં કરાયેલી પ્રાર્થનાઓ ક્યારેય નિષ્ફળ નથી જતી. મેમનગરનું આ રામજી મંદિર, ભક્તિ અને આસ્થાનું જીવંત પ્રતિક બનીને, પેઢી દર પેઢી ભક્તોના જીવનમાં પ્રકાશ ફેલાવતું રહ્યું છે.

વધુમાં વાંચો: કોઈ જગ્યાએ શિવલિંગ સ્વરૂપ તો કોઈ જગ્યાએ બાળ રૂપ, એક ક્લિકમાં VTVના વાચકોના ગણેશજીના કરો દર્શન

આ મંદિર માત્ર પૂજા માટેનું સ્થાન નથી, પરંતુ ભક્તોના હ્રદયમાં ભક્તિનો દીવો પ્રગટાવવાનું કેન્દ્ર છે. અહીં આવતા દરેક ભક્તને એવું લાગે છે કે જાણે તેઓ ભગવાનની સાનિધ્યમાં આવી ગયા હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ramji Mandir Ahmedabad Memnagar Mandir History Place of Devotion and Peace
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ