બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:04 PM, 18 October 2025
DHANTERAS 2025: ધનતેરસનો તહેવાર, જે દિવાળીની શરૂઆતનો સંકેત આપે છે, ધન, આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન આજના દિવસે ભગવાન ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. ત્યારથી ધનતેરસનો દિવસ ધન અને આરોગ્યના આશીર્વાદનો પ્રતીક બન્યો છે. આ દિવસે ઘરની સાફ-સફાઈ, દીવો પ્રગટાવવો અને ધન-સંબંધિત વસ્તુઓની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ચાલો જાણીએ ધનતેરસના 5 સરળ ઉપાયો, જે અપનાવીને તમે ધન અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવી શકો છો.
ADVERTISEMENT

ગોમતી ચક્રનો ઉપાય
ADVERTISEMENT
ધનતેરસની રાત્રે ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીની પૂજા બાદ 7 ગોમતી ચક્ર લઈને તેને લાલ કપડામાં બાંધી પવિત્ર સ્થાન પર રાખો. લાલ રંગ માતા લક્ષ્મીનો પ્રિય માનવામાં આવે છે, તેથી આ ઉપાય તેમની કૃપા મેળવવામાં ખૂબ જ ફળદાયી છે. આ ગોમતી ચક્રોને દિવાળીની મુખ્ય પૂજા દરમિયાન ફરીથી ઉપયોગમાં લાવવાથી શુભ ફળ મળે છે. આ ઉપરાંત, એક એકાક્ષી નાળિયેર (જેમાં એક જ આંખ હોય) લો. આ નાળિયેર કુબેરનું પ્રતીક માનવામાં આવે છે. તેને પણ લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ધનવૃદ્ધિ, વ્યાપારમાં સફળતા અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ADVERTISEMENT
સિક્કાનો ઉપાય
ધનતેરસની રાત્રે પૂજા પછી યમ દેવતાના નામે એક દીવો પ્રગટાવો અને તેમાં એક સિક્કો મૂકો. માન્યતા છે કે આમ કરવાથી યમ દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-સંપત્તિનો આશીર્વાદ આપે છે. બીજા દિવસે આ દીવાને સુરક્ષિત સ્થાને રાખો. ખાસ ધ્યાન રાખો કે આ દીવામાં મૂકેલો સિક્કો ક્યારેય ખર્ચ ન કરવો. આ ઉપાયથી ધનવૃદ્ધિ ઉપરાંત ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
ADVERTISEMENT
અટવાયેલા ધનનો ઉપાય
જો તમારું ધન લાંબા સમયથી અટવાયેલું હોય અથવા આર્થિક સ્થિતિ સારી ન હોય, તો ધનતેરસના દિવસે આરતી દરમિયાન બે લવિંગ આરતીમાં નાખો. લવિંગની જોડી આરતીમાં નાખવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને અટવાયેલું ધન પાછું મળે છે.
ADVERTISEMENT

કુબેરનો ઉપાય
ADVERTISEMENT
ધનતેરસની રાત્રે પૂજાસ્થળ અથવા મંદિરમાં કુબેર યંત્રની સ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. કુબેર યંત્ર ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરનું પ્રતીક છે. તેની સ્થાપનાથી ઘર અને કાર્યસ્થળમાં ધન-સંપત્તિની વૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. સાથે જ, કેસર અને હળદરમાં રંગેલી 11 કોડીઓ માતા લક્ષ્મીને અર્પણ કરો અને ધનતેરસના બીજા દિવસે તેને કાર્યસ્થળ અથવા ઘરના મુખ્ય દ્વાર પર બાંધો.
આ પણ વાંચો: આજે ધનતેરસ, ભૂલથી પણ ન ખરીદતા દિવાળીની આ 2 ચીજ, નહીંતર લક્ષ્મીજી થઇ જશે નારાજ
આ ઉપાયો ધનતેરસના દિવસે કરવાથી ન માત્ર આર્થિક સ્થિતિ સુધરે છે, પરંતુ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ ધનતેરસ, આ સરળ ઉપાયો અપનાવીને માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિના આશીર્વાદ મેળવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.