બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 AM, 18 October 2025
ધનતેરસના દિવસે દીવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ પાંચ દિવસનો તહેવાર આરોગ્ય, ધન-સમુદ્ધિ, શુભ-લાભ વંશ વૃદ્ધિ અને પરિવારની સુરક્ષા અને સંબંધોનો છે. આ દિવસ ખરીદીનો છે, કારણ કે તે દિવાળીની શરૂઆતનો દિવસ છે, એટલા માટે દિવાળીની ખરીદી પણ આજે પણ કરી શકાય છે. જે પુરી રીતે બજારનો ઉત્સવ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક સાવરણી અને સરસવનું તેલ, શનિવારે આ બન્નેની ખરીદી ન કરવી જોઈએ. આજે શનિવાર છે એટલે જો જરૂર હોય તો પણ આજે ન ખરીદશો.
સાવરણી અને સરસવના તેલની ખરીદી રવિવારે બપોર પહેલા કરી લેજો. આજે 18 ઓક્ટોબર 2025ની ત્રયોદશી તિથી બપોરે 12:18 વાગ્યે શરૂ થઈને 19 ઓક્ટોબર 1:51 વાગ્યે પુરી થશે.એટલે આવતીકાલ રવિવારે પણ અમુક વસ્તુઓની ખરીદી કરી શકાય છે.ધનતેરસમાં પણ પ્રદોષ કાળનું મહત્વ છે, જેથી મહત્વની ખરીદી આજે જ કરી લેજો માત્ર સાવરણી અને સરસવના તેલને બાદ કરીને.
ADVERTISEMENT

સાવરણીનો સંબંધ સાફ-સફાઈ અને સમુદ્ધિ સાથે પણ છે. જેને યોગ્ય સમયે ખરીદવા અને ઉપયોગ કરવાથી ખુશી અને ધન સંપત્તિ આવે છે. સારવણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, અને જો તેને ખોટા દિવસે ખરીદવામાં આવે તો આનાથી ઘરના સુખ-સમુદ્ધિ અને ભાગ્ય લક્ષ્મી નારાજ થઈ શકે છે.
ADVERTISEMENT
ધાર્મિક અને જ્યોતિષી દ્રષ્ટીએ જોવા જઈએ તો સપ્તાહના અમુક એવા દિવસ હોય છે, જ્યારે સાવરણી ખરીદવી અશુભ ગણવામાં આવે છે. એક માન્યતા છે કે શનિવાર અને મંગળવારે સાવરણી ખરીદવાથી ઘરમાં પૈસાની તકલીફ ઊભી થઈ શકે છે અને પરિવારમાં આર્થિક સમસ્યા આવી શકે છે. આ દિવસે સાવરણી ખરદીવાથી ઘરની લક્ષ્મી રિસાઈ જાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ આજે ધનતેરસ, ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કરો લક્ષ્મી પૂજા, જાણો શુભ મુહૂર્ત અને વિધિ
ADVERTISEMENT
આ દિવસને જ્યોતિષ શાસ્ત્રમાં પણ મહત્વનો ગણવામાં આવ્યો છે, કારણ કે આ દિવસોનું કનેક્શન શનિ અને મંગળ સાથે છે, જે કર્મ અને સંઘર્ષનું પ્રતિનિધિત્વ કરે છે.
શુભ સમયે સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. જ્યોતિષના કહ્યા પ્રમાણે, બુધવારે, ગુરુવારે અને શુક્રવારે સાવરણી ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં સાવરણી ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ આવે છે અને ભાગ્ય લક્ષ્મી પ્રસન્ના થાય છે.
શનિવારે સરસવના તેલની ખરીદી ન કરવી જોઈએ. સરસવનું તેલ શનિનું પ્રતીક છે અને આ દિવસે તેલનું દાન કરવામાં આવે છે. પણ દિવાળીના દીવા માટે સરસવનું તેલ જરૂરી છે, એટલા માટે તેની ખરીદી શનિવારે એટલે કે આજે ન કરશો.
ધનતેરસની સાથે, આજે શનિ પ્રદોષ વ્રત પણ છે. તેથી, આજે સાંજે શનિદેવને દીવો પ્રગટાવીને અર્પણ કરો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે, તેમના 'અર્ઘ' ની સામે દીવો પ્રગટાવો અને તેમાં થોડા કાળા તલ નાખો. આનાથી તમારા પર શનિ દોષની અસર ઓછી થશે. જો તમે કોઈપણ બીમારીથી પીડિત છો, તો તમને સ્વાસ્થ્ય લાભ થશે અને દેવાથી પણ રાહત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.