બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 4 April 2026
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અન્ય એક ભારતીય LPG ટેન્કર, 'ગ્રીન સાનવી' હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું છે. શિપ-ટ્રેકિંગ પ્લેટફોર્મ વેસેલફાઇન્ડર અનુસાર, સંઘર્ષ ફાટી નીકળ્યા પછી આ અત્યંત સંવેદનશીલ દરિયાઈ માર્ગ પસાર કરનાર આ સાતમું ભારતીય LPG કેરિયર છે. ડેટા અનુસાર, 'ગ્રીન સાન્વી' લારાક-કેશ્મ ચેનલ દ્વારા નેવિગેટ કરી રહ્યું છે, જે હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રમાણમાં સુરક્ષિત માર્ગ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ જહાજે તેની ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) એક્ટિવ કરી રાખી છે, જેનાથી તેનું સ્થાન સતત ટ્રેક કરી શકાય છે. 'ગ્રીન સાનવી' ના ગંતવ્ય સિગ્નલ પર "ઇન્ડિયન જહાજ, ઇન્ડિયન ક્રૂ" સંદેશ દેખાય રહ્યો છે - આ વ્યૂહરચના તાજેતરના સમયમાં ભારતીય જહાજો દ્વારા સંભવિત જોખમોને ઘટાડવા માટે અપનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે, જેનાથી તેમને હુમલા અથવા ખોટી ઓળખના ભયથી સુરક્ષિત રાખવામાં આવે છે. દરમિયાન, 'જગ વિક્રમ' અને 'ગ્રીન આશા' નામના બે અન્ય LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ નજીક ફસાયેલા છે.
શરૂઆતમાં બંને જહાજો 'ગ્રીન સાન્વી' ની નજીક જોવા મળ્યા હતા. જોકે, 'ગ્રીન સાન્વી' આગળ વધવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ બંને જહાજો તેમની હાલની સ્થિતિ જાળવી રાખે છે. આ સૂચવે છે કે સુરક્ષા અથવા ઓપરેશનલ કારણોસર તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવી નથી. આ પહેલા છ LPG ટેન્કર - જેમાં 'શિવાલિક', 'નંદા દેવી', 'જગ વસંત', 'BW ટાયર', 'BW એલ્મ' અને 'પાઈન ગેસ'નો સમાવેશ થાય છે - ભારતીય દરિયાકાંઠે સુરક્ષિત રીતે પહોંચી ગયા છે.
ADVERTISEMENT
લગભગ 58,811 મેટ્રિક ટનની ક્ષમતા સાથે 'ગ્રીન સાન્વી' મોટા LPG કેરિયર્સની શ્રેણીમાં પણ આવે છે - જે ભારતની ઉર્જા જરૂરિયાતો માટે મહત્વપૂર્ણ જહાજોનો એક વર્ગ છે. અહેવાલો અનુસાર, તેલ અને ગેસ કાર્ગો વહન કરતા ઓછામાં ઓછા 15 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં ફસાયેલા છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી હાલમાં ભારત તરફ જઈ રહેલા 'ગ્રીન સાન્વી' કયા બંદર પર પહોંચવાનું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચોઃ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર કર્યો બોમ્બમારો, 8 લોકોના મોત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જેના દ્વારા તેલ અને ગેસના વૈશ્વિક પુરવઠાનો આશરે 20% ભાગ પસાર થાય છે. પરિણામે, આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો તણાવ ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઊર્જા પુરવઠા અને ભાવને અસર કરી શકે છે. ભારત તેની LPG જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો આયાત કરે છે, તેથી સ્થાનિક ગેસ પુરવઠા, ભાવ સ્થિરતા અને ઊર્જા સુરક્ષાના સંદર્ભમાં આ ટેન્કરોનું સુરક્ષિત આગમન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.