Reliance Jioએ પોતાના ટેરિફની કિંમત વધારવાનું એલાન કર્યું છે. હાલમાં જ રિલાયન્સ જિયોએ Non Jio કોલિંગ માટે પૈસા લેવાનું શરુ કર્યું છે. અને તેના માટે નવા પેક્સની પણ શરૂઆત કરી છે. બીજી ટેલીકોમ કંપનીઓ જેમકે, Vodafone Idea અને Airtelએ પણ 1 ડિસેમ્બરથી ટેરિફની કિંમતો વધારવાનું એલાન કરી દીધું છે. આ વધારવામાં આવેલી કિંમતો પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પર લાગૂ થશે.
Reliance Jioએ પોતાના ટેરિફની કિંમતમાં વધારાનું એલાન કર્યું
Vodafone Idea અને Airtelએ પણ 1 ડિસેમ્બરથી ટેરિફની કિંમતો વધારવાનું એલાન કર્યું
કંપનીઓએ ટેરિફ વધારવા પાછળ સરકાર દ્વારા વસૂલમાં આવનારા AGRનો જ હવાલો આપ્યો
Reliance Jioએ પોતાની એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઇ રહ્યું છે, અમે સમજીએ છીએ કે TRAI ટેલીકોમ ટેરિફને લઇને કન્સલ્ટેશન પ્રોસેસ શરૂ કરવાની છે. બીજા ઓપરેટર્સની જેમ અમે પણ સરકારની સાથે કામ કરીશું અને રેગ્યુલેટરી રિજીમને મજબુત કરીશું. જેથી ભારતીય કસ્ટમર્સના ફાયદા માટે ઇન્ડસ્ટ્રી મજબૂત થઇ શકે. આવતા કેટલાક સપ્તાહમાં અમે ટેરિફની કિંમત વધારીશું.
હાલ કંપનીએ એમ નથી કહ્યું કે કયા પ્લાનમાં કેટલા રૂપિયા વધારવામાં આવશે. પરંતુ જલ્દી જ તેનું પણ એલાન કરવામાં આવશે. વોડાફોન આઇડિયા અને એરટેલે પણ એલાન કર્યું છે કે 1 ડિસેમ્બરથી ટેરિફ વધારવામાં આવી રહ્યા છે. આ બંને કંપનીઓએ હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે પ્લાન પર કેટલા એક્સ્ટ્રા પૈસા આપવાના રહેશે.
તમામ કંપનીઓએ ટેરિફ વધારવા પાછળ સરકાર દ્વારા વસૂલમાં આવનારા AGRનો જ હવાલો આપ્યો છે. જોકે, વોડાફોન આઇડિયા અને એરટેલને વધારે પૈસા આપવાના છે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઓક્ટોબરમાં એક નિર્ણય સંભળાવ્યો. જે હેઠળ ટેલીકોમ ડિપાર્ટમેન્ટને એ અધિકાર આપવામાં આવ્યો છે કે ટેલીકોમ કંપનીઓથી AGR 94000 કરોડ રૂપિયા વસૂલવામાં આવે. આ કુલ મળીને 1.3 લાખ કરોડ રૂપિયા છે. જેમા સૌથી વધારે વોડા આઇડિયાએ ચૂકાવાના છે.