બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:26 PM, 13 July 2026
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સુંદરવન નજીક બંગાળની ખાડીમાં એક મોટી ઘટના બની છે. અધિકારીઓએ મીડિયાને સોમવારે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં માછીમારી બોટ લાપતા થઇ હતી તેમાં નવ માછીમારો મૃત હાલતમાં મળી આવ્યા છે અને છ અન્ય ગુમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકો અને ઘાયલોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી.
ADVERTISEMENT
The loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal is deeply painful. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) July 13, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બોટ પલટી જવાથી થયેલ જાનમાલનું નુકસાન અત્યંત પીડાદાયક છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તેમણે મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરી.
ADVERTISEMENT
South 24 Parganas:
— News Arena India (@NewsArenaIndia) July 13, 2026
9 fishermen found dead in sunken trawler in Bay of Bengal; search continues for six missing. pic.twitter.com/IrslfXic3Y
2 જુલાઈના નીકળી હતી બોટ
ADVERTISEMENT
સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે રવિવારે (12 જુલાઈ) પોલીસ, વન વિભાગ અને ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓએ ચુલકાઠી જંગલ નજીક રક્તાચર વિસ્તારમાં એક ડૂબી ગયેલી બોટ શોધી કાઢી હતી. બોટને બહાર કાઢીને તેની શોધખોળ કરતાં નવ માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. 'એફબી મા કાલી' નામની આ બોટ 2 જુલાઈના પૂર્વ મિદનાપુર જિલ્લાના શંકરપુર ફિશરીઝ બંદર પરથી 15 માછીમારો સાથે નીકળી હતી.
આ પણ વાંચોઃ અયોધ્યા / રામ મંદિરનો CEO કેટલો શક્તિશાળી હશે? જાણો કેટલી હશે સત્તા અને શું હશે જવાબદારી
ADVERTISEMENT
ખરાબ હવામાનને કારણે સંપર્ક તૂટી ગયો
એવું કહેવાય છે કે 5 જુલાઈના આ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે બોટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી સુંદરવન ટાઇગર રિઝર્વના ડેપ્યુટી ફિલ્ડ ડિરેક્ટરના નેતૃત્વમાં પોલીસ, કોસ્ટ ગાર્ડ, વન વિભાગ અને માછીમાર સંગઠનો દ્વારા સંયુક્ત શોધખોળ અભિયાન ચાલુ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે છ ગુમ થયેલા માછીમારોનો કોઇ પત્તો હજુ મળ્યો નથી. મળી આવેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બાકીના માછીમારોને શોધવા માટે સોમવારે એક નવું સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.