બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 13 July 2026
વડોદરાના વાઘોડિયામાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીનું ગળું કાપવાની ઘટના સામે આવી છે. પત્નીનું ગળું કાપ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના ઉમા પાર્ક સોસાયટીમાં બની હતી. જેમાં રાત્રિના સમયે પતિએ તેમના બંને બાળકોને રૂમમાં બંધ કરી પત્નીનું કટરથી ગળું કાપ્યુ હતું. જેમાં ગંભીર હાલતમાં પત્નીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. જેમાં પતિ પ્રદીપ કિશનરાવ ગાંગુડેએ પત્ની જ્યોતિબેનના ગળા પર કટરથી હુમલો કર્યો હતો. પત્નીનું ગળ્યું કાપ્યા બાદ પતિએ ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ તરત જ 108થ ઇજાગ્રસ્ત જ્યોતિબેનને શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાત્રિના સમયે પુત્રએ તેના દાદાને ફોન કરી આ ઘટનાની જાણ કરી હતી.
આ ઘટના બાદ તેમના બાળકોએ બૂમાબૂમ કરી હતી. આથી તરત જ પાડોશીઓ દોડી આવ્યા હતા. બાદમાં પાડોશીઓ દ્વારા તેમના ઘરની બારીનો કાચ તોડી અંદર જોયુ તો પ્રદીપ છત પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુત્રો મુજબ, જ્યોતિબેન અમદાવાદના રહેવાસી હતા. તેમના લગ્ન 15 વર્ષ પહેલાં પ્રદીપ ગાંગુડે સાથે થયા હતા. આ બંને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. જેમાં તેમને એક પુત્ર અને એક પુત્રી એમ સંતાન છે. હવે આ ઘટના અંગે કપૂરાઈ પોલીસે ફરિયાદના આધારે મૃતક પ્રદીપ સામે એફાઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.