બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / જેઠાલાલની શો છોડવાની વાત નીકળી અફવા, બનેલો રહેશો વર્ષો જૂનો સંબંધ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / જેઠાલાલની શો છોડવાની વાત નીકળી અફવા, બનેલો રહેશો વર્ષો જૂનો સંબંધ

Last Updated: 10:41 AM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લોકપ્રિય પાત્ર જેઠાલાલ વિશે ફેલાઈ રહેલી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. શોના મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે, જેઠાલાલના પાત્રને શોમાંથી દૂર કરવામાં આવશે નહીં અને દિલીપ જોશી આ ભૂમિકા ભજવવાનું ચાલુ રહેશે.

1/5

photoStories-logo

1. દિલીપ જોશી આ શોને કહેશે અલવિદા?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 18 વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યું છે. શોની શરૂઆતથી જ ઘણા પાત્રો તેની સાથે જોડાયેલા રહ્યા છે. આવું જ એક નામ છે દિલીપ જોશી, જેઓ જેઠાલાલનું પાત્ર ભજવે છે. આ ભૂમિકાને કારણે દિલીપ જોશી ઘરે-ઘરે જાણીતા બન્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દયાબેન બાદ જેઠાલાલ શો છોડે તેવી ચર્ચા

વર્ષો બાદ એવા અહેવાલો સામે આવ્યા કે, જેઠાલાલના પાત્રને શોમાંથી દૂર કરવામાં આવનાર છે, આ સમાચારથી ચાહકોમાં ભારે ચર્ચા જાગી હતી. દરેકને એ વિચાર આવતો હતો કે શું દિલીપ જોશી આ શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે. દયાબેન બાદ, દિલીપ જોશીના શો છોડવાની શક્યતા ચાહકોને શોના અંત સમાન લાગતી હતી. જો તમે પણ જેઠાલાલ વિશેના સમાચાર સાંભળીને ચિંતિત થયા હોય, તો તમારી માટે એક સારા સમાચાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અફવા વિશે મેકર્સે સ્પષ્ટ કર્યું

સોશિયલ મીડિયા પર જેઠાલાલના પાત્ર વિશે ફેલાઈ રહેલા ખબરો ખોટી છે. મીડિયા સાથે વાત કરતા શોના મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે, જેઠાલાલના પાત્રને શોમાંથી દૂર કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, વાર્તા હજુ પણ જેઠાભાઈની આસપાસ જ ફરે છે અને શોનો લેટેસ્ટ પ્રોમો પણ રિલીઝ થઈ ચૂક્યો છે. અમે 28 જુલાઈએ શોની 18મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. જેઠાલાલના પાત્રને શોમાંથી હટાવવામાં આવશે નહીં. ટૂંકમાં, આવી તમામ અફવાઓ ખબરોને ખોટી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હાઇએસ્ટ પેડ એક્ટર છે દિલીપ જોશી

દિલીપ જોશી છેલ્લા 18 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે. તેમના પાત્ર 'જેઠાલાલ'ને ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. તેમણે આ ભૂમિકા એટલી નિષ્ઠાથી ભજવી છે કે, લોકો તેમને તેમના પાત્રના નામથી જ ઓળખે છે. અહેવાલો અનુસાર, તેઓ આ શોના સૌથી વધુ મહેનતાણું મેળવતા અભિનેતા છે. દિલીપ જોશી શોના નિર્માતા અસિત મોદી સાથે પણ મજબૂત સંબંધ ધરાવે છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે, જે ઘણીવાર વિવિધ કાર્યક્રમો અને શોની ઉજવણીઓ દરમિયાન જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. જેઠાલાલ શોનો ભાગ હતા છે અને રહેશે

તો હવે તારક મહેતા શોના ચાહકો ચિંતા કરશો નહીં અને સોશિયલ મીડિયા પર જેઠાલાલ વિશે ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહો. તમારા પ્રિય જેઠાલાલ ક્યાંય જઈ રહ્યા નથી. તેઓ ગઈકાલે શોનો ભાગ હતા, આજે પણ છે અને જ્યાં સુધી 'તારક મહેતા'નું પ્રસારણ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ તેમાં જોડાયેલા રહેશે. 'તારક મહેતા' જોતા રહો અને તમારા પ્રિય જેઠાલાલ પર તમારો પ્રેમ વરસાવતા રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

jethalal character not ending TMKOC dilip joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ