બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:41 AM, 14 July 2026
1/5
2/5
વર્ષો બાદ એવા અહેવાલો સામે આવ્યા કે, જેઠાલાલના પાત્રને શોમાંથી દૂર કરવામાં આવનાર છે, આ સમાચારથી ચાહકોમાં ભારે ચર્ચા જાગી હતી. દરેકને એ વિચાર આવતો હતો કે શું દિલીપ જોશી આ શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે. દયાબેન બાદ, દિલીપ જોશીના શો છોડવાની શક્યતા ચાહકોને શોના અંત સમાન લાગતી હતી. જો તમે પણ જેઠાલાલ વિશેના સમાચાર સાંભળીને ચિંતિત થયા હોય, તો તમારી માટે એક સારા સમાચાર છે.
3/5
સોશિયલ મીડિયા પર જેઠાલાલના પાત્ર વિશે ફેલાઈ રહેલા ખબરો ખોટી છે. મીડિયા સાથે વાત કરતા શોના મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે, જેઠાલાલના પાત્રને શોમાંથી દૂર કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, વાર્તા હજુ પણ જેઠાભાઈની આસપાસ જ ફરે છે અને શોનો લેટેસ્ટ પ્રોમો પણ રિલીઝ થઈ ચૂક્યો છે. અમે 28 જુલાઈએ શોની 18મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. જેઠાલાલના પાત્રને શોમાંથી હટાવવામાં આવશે નહીં. ટૂંકમાં, આવી તમામ અફવાઓ ખબરોને ખોટી છે.
4/5
દિલીપ જોશી છેલ્લા 18 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે. તેમના પાત્ર 'જેઠાલાલ'ને ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. તેમણે આ ભૂમિકા એટલી નિષ્ઠાથી ભજવી છે કે, લોકો તેમને તેમના પાત્રના નામથી જ ઓળખે છે. અહેવાલો અનુસાર, તેઓ આ શોના સૌથી વધુ મહેનતાણું મેળવતા અભિનેતા છે. દિલીપ જોશી શોના નિર્માતા અસિત મોદી સાથે પણ મજબૂત સંબંધ ધરાવે છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે, જે ઘણીવાર વિવિધ કાર્યક્રમો અને શોની ઉજવણીઓ દરમિયાન જોવા મળી છે.
5/5
તો હવે તારક મહેતા શોના ચાહકો ચિંતા કરશો નહીં અને સોશિયલ મીડિયા પર જેઠાલાલ વિશે ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહો. તમારા પ્રિય જેઠાલાલ ક્યાંય જઈ રહ્યા નથી. તેઓ ગઈકાલે શોનો ભાગ હતા, આજે પણ છે અને જ્યાં સુધી 'તારક મહેતા'નું પ્રસારણ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ તેમાં જોડાયેલા રહેશે. 'તારક મહેતા' જોતા રહો અને તમારા પ્રિય જેઠાલાલ પર તમારો પ્રેમ વરસાવતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 16 જુલાઇએ બનશે સૂર્ય-ચંદ્રમાની યુતિ, આ 3 રાશિઓનું વધશે બેંક બેલેન્સ
5 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / અષાઢ અમાસ પર આજે બનશે ત્રિગ્રહી રાજયોગ, આ રાશિના જતકોની કિસ્મત ચમકશે!
ટોપ સ્ટોરીઝ