બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચોમાસામાં કબાટ અને ફર્નિચરને બચાવવાના 6 સરળ ઉપાય, ભેજ, ફુગ અને ઉધઈથી મળશે રાહત

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / ચોમાસામાં કબાટ અને ફર્નિચરને બચાવવાના 6 સરળ ઉપાય, ભેજ, ફુગ અને ઉધઈથી મળશે રાહત

Last Updated: 11:22 AM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જતું હોય છે, જેના કારણે ઘરના કબાટ, રસોડાની ડ્રોઅર અને લાકડાના ફર્નિચરમાં ફુગ અને ઉધઈની સમસ્યા વધે છે. સમયસર ધ્યાન ન આપવાથી મોંઘું ફર્નિચર પણ ખરાબ થઈ શકે છે. જોકે કેટલીક સરળ આદતો અને ઘરેલુ ઉપાયો અપનાવીને તમે ભેજ, દુર્ગંધ અને ઉધઈથી સરળતાથી બચી શકો છો.

1/7

photoStories-logo

1. ચોમાસામાં કબાટ અને ફર્નિચરને બચાવવાના 6 સરળ ઉપાય

ચોમાસામાં સતત વરસાદ અને વધતા ભેજના કારણે લાકડાની વસ્તુઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. કબાટમાં દુર્ગંધ આવવી, કપડાંમાં ભેજ ભરાવું અને ફર્નિચરમાં ફુગ અથવા ઉધઈ લાગવી જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. મોંઘા કેમિકલ્સ કે પ્રોડક્ટ્સ ખરીદ્યા વગર પણ કેટલાક સરળ ઉપાયો દ્વારા આ સમસ્યાથી બચી શકાય છે. ચાલો જાણીએ એવા 6 અસરકારક ઉપાયો વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પાણીનું લીકેજ તરત જ ઠીક કરાવો

રસોડાની સિંક, પાણીની પાઇપ અથવા દિવાલમાંથી પાણી ટપકતું હોય તો તેને અવગણવું નહીં. સતત લીકેજના કારણે આસપાસના કબાટ અને ડ્રોઅરમાં ભેજ વધે છે. આ ભેજ ફુગ અને ઉધઈ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. તેથી કોઈપણ પ્રકારનું લીકેજ દેખાય તો તરત રિપેર કરાવવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કબાટ અને ડ્રોઅરને નિયમિત ખુલ્લા રાખો

કબાટ અને રસોડાની ડ્રોઅર સતત બંધ રાખવાથી અંદર હવા ફરતી નથી અને ભેજ વધી જાય છે. દરરોજ થોડા સમય માટે તેને ખુલ્લા રાખવાથી તાજી હવા અંદર જાય છે અને ભેજ ઘટે છે. ઘરમાં એક્ઝોસ્ટ ફેન અથવા યોગ્ય વેન્ટિલેશન પણ ભેજ ઘટાડવામાં મદદરૂપ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભેજ શોષી લેતી વસ્તુઓનો ઉપયોગ કરો

કબાટ અથવા ડ્રોઅરમાં સિલિકા જેલ પાઉચ, એક્ટિવેટેડ ચારકોલ અથવા કેલ્શિયમ ક્લોરાઇડ જેવા મોઈશ્ચર એબ્સોર્બર રાખી શકાય છે. આ વસ્તુઓ વધારાની ભેજ શોષી લે છે અને ફુગ બનતા અટકાવે છે. સાથે જ દુર્ગંધ પણ ઓછી કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. લાકડાને સુરક્ષિત બનાવો

જો તમે નવું કબાટ અથવા કિચન કેબિનેટ બનાવડાવી રહ્યા હોવ તો વોટર રેઝિસ્ટન્ટ પ્લાયવુડ પસંદ કરો. ઉપરાંત લાકડાની સપાટી પર ઉધઈ પ્રતિરોધક કોટિંગ કરાવવાથી ઉધઈ લાગવાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. આ નાનો ખર્ચ ભવિષ્યમાં મોટું નુકસાન અટકાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સામાનને સમયાંતરે તડકામાં રાખો

કબાટમાં રાખેલા કપડાં અને અન્ય વસ્તુઓને સમયાંતરે બહાર કાઢીને તડકામાં રાખવી જોઈએ. સૂર્યપ્રકાશ ભેજ દૂર કરવામાં મદદ કરે છે અને દુર્ગંધ પણ ઓછી કરે છે. જો ઘરમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય તો ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ પણ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. નિયમિત તપાસ કરતા રહો

કબાટ અથવા ફર્નિચરમાં લાકડાનો ભૂકો, નાના છિદ્રો, ફુગ અથવા અજીબ પ્રકારની ગંધ જોવા મળે તો તેને અવગણશો નહીં. આ ઉધઈ અથવા ભેજની શરૂઆતના સંકેતો હોઈ શકે છે. સમયસર સમસ્યા ઓળખી લેવાથી મોટું નુકસાન અટકાવી શકાય છે. જરૂર પડે તો પેસ્ટ કંટ્રોલની મદદ પણ લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Udhai Control Wooden Furniture Tips Monsoon Furniture Care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ