બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રામાં પ્રથમ વાર LED સ્ક્રીન અને લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરાશે, 16 કિમીની યાત્રાનું લાઇવ ટેલિકાસ્ટ

Rathyatra 2026 / રથયાત્રામાં પ્રથમ વાર LED સ્ક્રીન અને લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરાશે, 16 કિમીની યાત્રાનું લાઇવ ટેલિકાસ્ટ

Nidhi Panchal

Last Updated: 02:23 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં આ વર્ષે પ્રથમ વખત ભક્તો માટે ખાસ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાર વિશાળ LED સ્ક્રીન અને સમગ્ર 16 કિલોમીટર લાંબી યાત્રાનું જીવંત પ્રસારણ ભક્તોને દર્શનનો અનોખો અનુભવ કરાવશે.

અમદાવાદ, મંગળવાર ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન આ વર્ષે પ્રથમ વખત ભક્તોને નવી સુવિધા મળશે. મંગળા આરતી સમયે ભારે ભીડના કારણે મંદિરમાં પ્રવેશ ન મેળવી શકતા ભક્તો માટે શહેર પોલીસ દ્વારા જગન્નાથ મંદિર -આસપાસ ચાર વિશાળ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે, ઉપરાંત સમગ્ર 16 કિલોમીટર લાંબી રથયાત્રાનું દિવસભર જીવંત પ્રસારણ (લાઇવ ટેલિકાસ્ટ) પણ કરવામાં આવશે.

Rathyatra 2026

દૂરદર્શન સાથે પણ સંકલન કરવામાં આવ્યું

શહેર પોલીસ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેની ચર્ચા બાદ લેવાયેલા આ સુધીની સમગ્ર યાત્રા ઘેરબેઠાં નિહાળી શકાશે. આ માટે દૂરદર્શન સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. નિર્ણયનો હેતુ વધુમાં વધુ ભક્તોને ભગવાન જગન્નાથનાં દર્શન કરાવવાનો છે. લાઇવ ટેલિકાસ્ટ દ્વારા મંદિરથી : સરસપુર સુધી અને ત્યાંથી પરત મંદિર. શહેર પોલીસના જણાવ્યા મુજબ બે એલઈડી સ્ક્રીન મંદિર સામે આવેલી પાણીની ટાંકી પાસે અને બાકીની બે એએમસી વોટર પમ્પિંગ સ્ટેશન તેમજ એસટી બસ સ્ટેન્ડ તરફના ફ્લાયઓવર નજીક મૂકવામાં આવશે.

Rathyatra 2026

101 ટેબ્લોની પૂર્વ તપાસ કરવાની જવાબદારી

આ ઉપરાંત પોલીસ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર રથયાત્રા કયા વિસ્તારમાં પહોંચી, કયા માર્ગ પરથી પસાર થઈ રહી છે અને અન્ય જરૂરી માહિતી અંગે રિયલ ટાઇમ અપડેટ્સ પણ આપશે. રથયાત્રાના પગલે શહેરમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ થવાના હોવાથી અમદાવાદ એરપોર્ટે મુસાફરોને એરપોર્ટ માટે સમય કરતાં વહેલા નીકળવાની સલાહ આપી છે. સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે રથયાત્રામાં સામેલ 101 ટેબ્લોની પૂર્વ તપાસ કરવાની જવાબદારી પણ પોલીસના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રામાં પ્રથમ વખત AI ટેક્નોલોજીનો ઉપયોગ, 60થી વધુ ડ્રોન

રથયાત્રા દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રથયાત્રામાં સામેલ થનારી 101 ટેબ્લોની પૂર્વ તપાસ કરવાની જવાબદારી પોલીસના વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે. આમ, આ વર્ષે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં પરંપરાગત ભક્તિ સાથે આધુનિક ટેક્નોલોજી, લાઇવ ટેલિકાસ્ટ, LED સ્ક્રીન, સોશિયલ મીડિયા અપડેટ્સ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળશે, જે લાખો ભક્તો માટે યાદગાર અને સુવ્યવસ્થિત અનુભવ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Jagannath Rath Yatra LED Screen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ