બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 27 જુલાઈથી શનિ થશે વક્રી, સિંહ સહિત આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે સકારાત્મક બદલાવ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 27 જુલાઈથી શનિ થશે વક્રી, સિંહ સહિત આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે સકારાત્મક બદલાવ

Last Updated: 02:08 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિની ચાલમાં થતો ફેરફાર તમામ 12 રાશિઓના જીવન પર અસર કરે છે.

1/6

photoStories-logo

1. 27 જુલાઈથી શનિ થશે વક્રી

જ્યોતિષીય ગણતરી મુજબ શનિદેવ 27 જુલાઈ 2026થી મીન રાશિમાં વક્રી થશે અને 11 ડિસેમ્બર 2026 સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિની આ બદલાતી ચાલ કેટલાક જાતકો માટે પડકારો લાવી શકે છે તો કેટલાક માટે પ્રગતિ અને રાહતના સંકેત આપી શકે છે. ખાસ કરીને સિંહ, વૃશ્ચિક, ધનુ અને મકર રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન શુભ પરિણામ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવો જાણીએ આ રાશિઓ પર તેની શું અસર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સિંહ રાશિ

શનિની વક્રી ચાલ સિંહ રાશિના જાતકો માટે રાહત આપનારી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન શનિનો નકારાત્મક પ્રભાવ થોડો ઓછો થઈ શકે છે, જેના કારણે કેટલીક જૂની મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે.સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. જોકે નોકરી અને લગ્ન સંબંધિત નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવાની જરૂર રહેશે. સમજદારીથી લીધેલા નિર્ણયો ભવિષ્યમાં લાભદાયી બની શકે છે. શનિવારે કાગડાને ખવડાવો અને માંસાહારથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલ મિશ્ર પરિણામ આપી શકે છે. શરૂઆતમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીમે ધીમે સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.સંતાન, શિક્ષણ અને રોકાણ સાથે જોડાયેલા મામલાઓમાં લાભ મળવાની સંભાવના છે. જો કોઈ રોકાણમાં નુકસાન થઈ રહ્યું હોય તો તેમાં સુધારો થવાના સંકેત મળી શકે છે. સત્યનો માર્ગ અપનાવો અને દરરોજ અથવા શનિવારે ‘ૐ શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલ સકારાત્મક સાબિત થઈ શકે છે. ખાસ કરીને સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજો અને મતભેદ દૂર થવાની શક્યતા છે.પરિવાર અને સગાસંબંધીઓ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે. અટકેલા કામો પૂર્ણ થવાની સંભાવના છે અને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે.કાળા કૂતરાને રોટલી ખવડાવો અને શનિવારે શનિ મંદિરમાં સરસવનું તેલ દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલ લાભદાયી માનવામાં આવી રહી છે. જોકે સારા પરિણામ મળવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ મહેનતનું ફળ મળવાની સંભાવના રહેશે.સ્પર્ધાત્મક પરીક્ષા, નોકરી અને વ્યવસાયમાં સફળતા મળવાના યોગ બની શકે છે. વિરોધીઓ સામે જીત મેળવવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ મળી શકે છે.શનિ સ્તોત્રનો પાઠ કરો અને ખોટું બોલવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lucky Zodiac Signs Saturn Retrograde Shani Vakri 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ