દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. આ સમયે રોજ ગણેશજીને શું ભોગ ઘરવો તેની મૂંઝવણ રહ્યા કરે છે. તો આજે તમે આ પરંપરાગત લાડુનો ભોગ ધરાવી શકો છો.
સૌપ્રથમ ચણાના લોટમાં એક ચમચો ઘીનું મોણ નાખીને તેનું બુંદી બને તેવું પાણી નાખી ખીરું બનાવી લો. 3 થી 4 કલાક રાખી મૂકો. ખાંડની ચાસણી બનાવી તેમાં કેસર નાખીને મૂકી રાખો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. હવે એક ઝારો લો, તેમાં ધીરે ધીરે ખીરું નાખીને બુંદી પાડો. બુંદી તળાઈને ઉપર આવે કે તેને સારી રીતે ઘી નીતારીને કાઢી લો. આ રીતે બધી બુંદી પાડી લો. હવે આ બુંદીને ચાસણીમાં નાખો. થોડો સમય રાખી મુકો. બુંદીમાં ચાસણી સારી રીતે મિક્સ થયા પછી તેમાં સુકામેવાના ટુકડા નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણના નાનાં-નાનાં લાડું બનાવી લો.