બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જો તમારૂ ખાતું SBI, Bank Of Baroda, Induslnd Bank અને Bandhan Bankમાં છે તો તમારા માટે મોટી ખબર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ ચાર બેન્કો સહિત 14 બેન્કો પર પેનલ્ટી લગાવી છે. આ બેન્કોએ રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
14 બેન્કો પર 14.5 કરોડ પેનલ્ટી
આ દરેક 14 બેન્કો પર કુલ 14.5 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી છે. જેમાંથી 2 કરોડ રૂપિયાની સૌથી મોટી પેનલ્ટી બેન્ક ઓફ બરોડા પર લાગી છે. ત્યાર બાદ 1 કરોડ રૂપિયાની પેનલ્ટી બંધન બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ક્રેડિટ સુઈસ એજી, ઈન્ડિયન બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક. કર્ણાટક બેન્ક, કરૂર વેશ્ય બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, ધ જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનેન્સ બેન્ક શામેલ છે. 50 લાખ રૂપિયાની સૌથી નાની પેનલ્ટી દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પર લાગી છે.
ADVERTISEMENT
બેન્કો પર આ કારણે લાગી પેનલ્ટી
RBIએ કહ્યું કે 'કંપનીઝ ઓફ એ ગ્રુપ'ના ખાતાની તપાસ કરવા પર ખબર પડી કે બેન્ક અમુક નિયમોનું પાલન નથી કરી રહી. માટે બેન્કોને નોટિસ આપવામાં આવી છે. અને તેમના પાસેથી આ વિશે જવાબ માંગવામાં આવ્યું છે. બેન્કોને કહેવામાં આવ્યું કે તેમના વિરૂદ્ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના આદેશનું પાલન ન કરવા માટે દંડ કેમ ન કરવામાં આવે. રિઝર્વ બેન્કે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે બેન્કોએ જે નિયમોનું ઉલ્લંધન કર્યું છે તેમાં NBFCsને લોન આપવા અને NBFCsને બેન્ક ફાઈનાન્સ સાથે જોડાયેલા નિયમોની અવગણનાનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ગ્રાહકો પર નહીં પડે અસર
રિઝર્વ બેન્કે જણાવ્યું કે બેન્કોમાં લાર્જ કોમન એક્સપોજર્સની સેન્ટ્રલ રિપોજીટરી, સેન્ટ્ર્લ રિપોજીટરી ઓફ ઈનફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC)નો રિપોર્ટિંગ, સ્મોલ ફાઈનાન્સ બેન્કની ઓપરેટિંગ ગાઈડલાઈન્સ સાથે જોડાયેલા નિયમોની અવગણના કરવામાં આવી હતી. તેની સાથે જ બેન્કને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ના સેક્શન 19(2) અને સેક્શન 20(1)નું ઉલ્લંઘન કર્યું છે. જોકે રિઝર્વ બેન્કે એ સ્પષ્ટ કરી દીધુ છે કે બેન્કો પર આ દંડ Regulatory Complianceમાં કમીને કારણે લગાવવામાં આવ્યું છે. તેનું ગ્રાહકો સાથે કોઈ મતલબ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.