બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / સ્પોર્ટસ / Cricket / Ravindra Jadeja's love story this is how the first meeting with Rivaba happened,
Megha
Last Updated: 08:36 AM, 10 February 2024
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે દીકરા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેના જવાબમાં રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલાસો પણ કર્યો હતો. પિતા અનિરુદ્ધનું કહેવું છે કે 'રવિન્દ્ર અને તેની પત્ની રીવાબા સાથે તેને કોઈ સંબંધ નથી.'
Let's ignore what's said in scripted interviews 🙏 pic.twitter.com/y3LtW7ZbiC
— Ravindrasinh jadeja (@imjadeja) February 9, 2024
જાડેજાએ પત્ની રીવાબાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું
પિતાનો આ ઈન્ટરવ્યુ વાયરલ થતા જ જાડેજા પણ સામે આવ્યો હતો. જાડેજાએ પત્ની રીવાબાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કરતાં કહ્યું કે, 'ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહિન અને અસત્ય છે, મારી પાસે પણ ઘણી એવી વાતો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી.'
રવિન્દ્ર જાડેજા અને રીવાબાની લવસ્ટોરી
જાણીતું છે કે જાડેજા અને રીવાબા હંમેશા એકબીજાને સપોર્ટ કરતાં રહે છે પરંતુ શું તમે જાણો છો કે આ કપલ એકબીજાને કેવી રીતે મળ્યા હતા? રવિન્દ્ર જાડેજા અને રીવાબાની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. ચાલો તેના વિશે જાણીએ..
રીવાબા અને જાડેજાની બહેન નયનાબા ખૂબ જ સારી મિત્ર હતી
રવિન્દ્ર જાડેજા અને રીવાબાની પહેલી મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. રીવાબા અને રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા ખૂબ જ સારી મિત્ર હતી. એક પાર્ટીમાં મળ્યા બાદ બંને સારા મિત્રો બની ગયા હતા. આ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા પછી, તેઓએ 5 ફેબ્રુઆરી, 2016 ના રોજ સગાઈ કરીને તેમના સંબંધો પર મહોર લગાવી હતી.
સગાઈના થોડા દિવસો બાદ જાડેજાએ એપ્રિલ 2016માં રીવાબા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ જ રવિન્દ્ર જાડેજા પિતા બન્યો હતો. આ દંપતીને એક બાળકી છે. જણાવી દઈએ કે રીવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને રીવાબા ક્રિકેટના શોખીન છે. રીવાબા હાલ ભાજપ સાથે જોડાયેલ છે.
વધુ વાંચો: 'દીકરાને ન પરણાવ્યો હોત તો સારું હતું', પિતાએ વેદના પ્રગટ કરતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની સ્પષ્ટતા, આપ્યો ચોંકાવનારો જવાબ
રાજપૂત પરિવારના લગ્ન ગોળીબાર વિના અધૂરા
રવિન્દ્ર જાડેજા રાજપૂત પરિવારમાંથી આવે છે અને કહેવાય છે કે રાજપૂત પરિવારના લગ્ન ગોળીબાર વિના અધૂરા છે. રવિન્દ્રના લગ્નમાં પણ આવું જ બન્યું હતું અને લગ્ન સમયે હવામાં ગોળીબાર કરવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime