રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. થોડાક દિવસો અગાઉ એમના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું. જો કે બાદમાં જાણવા મળ્યું કે એ કાર્ડ ફેંક હતું. પરંતુ હવે માહિતી મળી રહી છે કે આલિયા અને રણબીર આ નવેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.
આલિયા ભટ્ટ અને રણબીર બે સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યા છે
કપલ ફ્રાંસમાં લગ્ન કરશે એવું જાણવા મળી રહ્યું છે
એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર બે સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યા છે. કપલ ફ્રાંસમાં લગ્ન કરશે. એમના લગ્ન માટે શેફ ઋતુ ડાલમિયાને કેટરિંગના અરેન્જમેન્ટ માટે અપ્રોચ કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે અનુષ્કા-વિરાટના લગ્નમાં ઋતુએ જ કેટરિંગ સર્વિસ પ્રોવાઇડ કરાઇ હતી.
બંનેના લગ્નના સમાચારોમાં કેટલું સત્ય છે એ તો સમય આવવા પર જ ખબર પડશે. જણાવી દઇએ કે આ પહેલા અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નના સમાચાર પણ ખૂબ જ વાયરલ થયા હતા. પરંતુ આ સમાચાર માત્ર અફવા સાબિત થઇ.
વાયરલ થયું હતું લગ્નનું કાર્ડ
જાણવા મળી રહ્યું છે કે થોડાક દિવસ સોશ્યલ મીડિયા પર રણબીર અને આલિયાના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું. વાયરલ કાર્ડમાં લગ્નની તારીખ 22 જાન્યુઆરી 2020 જણાવવામાં આવી હતી. આ વાયરલ કાર્ડ પર આલિયા ભટ્ટનું રિએક્શન પણ આવ્યું હતું. જ્યારે એને પૂછવામાં આવ્યું હતું કે મેમ એક સમાચાર સાંભળવા મળ્યા છે કે 22 જાન્યુઆરી 2020 એ... આટલું સાંભળતા જ આલિયા જોરજોરથી હસવા લાગી હતી અને ત્યાંથી ચાલી ગઇ હતી. બાદમાં માહિતી મળી આ કાર્ડ ફેંક હતું.
વર્ક ફ્રંટ પર આલિયા-રણબીર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે નજરે આવશે. આ બંનેની એક સાથે પહેલી ફિલ્મ છે. એને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. મૂવીનો લોગો લૉન્ચ થઇ ગયો છે.