બ્રેકિંગ ન્યુઝ
VTV / ram temple bhoomi poojan for ram temple likely on 5th august 2020 pm modi may visit ayodhya to attend
Last Updated: 03:43 PM, 18 July 2020
ADVERTISEMENT
મહંત કમલ નયન દાસે પહેલા જકહ્યું છે કે ટ્રસ્ટ શ્રવણમાં જ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવા ઈચ્છે છે. જો કે મંદિર પૂજનની પ્રક્રિયા ક્યારની શરુ થઈ ગઈ છે.
આ અંગે શનિવારે બપોરે 3 વાગે અયોધ્યા સર્કિટ હાઉસમાં ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. જેમાં નૃપેન્દ્ર મિશ્રા તેમજ ટ્ર્સ્ટના સલાહકાર શર્મા સહિતના એન્જિનિયરો પણ અયોધ્યામાં હાજર રહ્યા છે. એમજ ચંદ્રકાંત સોમપુરા અને તેમના દિકરા નિખિલ સોમપુરા પણ અયોદ્યા પહોંચ્યા છે.
ADVERTISEMENT
.jpg)
ઉલ્લેખનીય છે કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના તમામ ટ્રસ્ટી, મુખ્ય સંત- ધર્માચાર્ય સહિત સંઘ પ્રમુખ મોહન ભાગવત, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત તમામ મુખ્ય લોકો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. આની વિસ્તૃત જાહેરાત ટ્રસ્ટની આજે થયેલી બેઠકમાં થઈ શકે છે.
ADVERTISEMENT
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસના પત્રને પીએમએ ગંભીરતાથી લીધો છે. જોકે આ કાર્યક્રમમાં પીએમની હાજરીને લઈને હજું સુધી સત્તાવાર કોઈ માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે પીએમને પત્ર લખીને જલ્દી અયોધ્યા આવી તેમના હાથે રામમંદિર નિર્માણનું શુભારંભ કરો તેવી વિનંતી કરી છે. તેમણે એમ પણ લખ્યુ છે વીડિયો કોન્ફરન્સિંગ નહીં પણ તમે પોતે રુબરુ આવીને મંદિરનું ભૂમિ પૂજન કરો.
.jpg)
ADVERTISEMENT
નોંધનીય છે કે શિલાન્યાસ 1989માં થઈ ગયો છે. પીએમ ફક્ત પ્રતિકાત્મક શરુઆત કરશે. કોરોનાને પગલે ભીડ ભેગી કરીને મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.