રક્ષાબંધન સ્નેહના તાંતણાનો તહેવાર છે. રક્ષાબંધન માત્ર તહેવાર નથી પરંતુ એક એવી ભાવના છે કે જે રેશમના કાચા દોરા દ્વારા ભાઈ બહેનના પ્રેમને હંમેશા-હંમેશા માટે સાચવીને રાખે છે. શાસ્ત્ર અનુસાર રાખડી બાંધવા માટે ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે, પરંતુ આ વર્ષે ભદ્રા યોગ રહિત રક્ષાબંધન હોવાથી તેનો દોષ રહેતો નથી. જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે.
આજે ભદ્રકાળ કે કોઈપણ પ્રકારનું ગ્રહણ નથી જેથી આ વખતે રક્ષાબંધન શુભ સંયોગ વાળી અને સૌભાગ્યશાળી છે. રક્ષાબંધનને દિવસે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરે છે જે અનુસાર ભદ્રનો વાસ પાતાળ લોકમાં હોવાથી ભૂલોકમાં કોઈ પણ દોષ રહેતો નથી. જેથી દિવસ દરમિયાન કોઈ પણ સંશય રાખ્યા વિના રક્ષાબંધનનો તહેવાર ઊજવી શકાશે.
આમ તો બહેનને ભાઇને રાખડી બાધવા માટે કોઈપણ મુહૂર્ત કે ચોઘડિયાં જોવાની આવશ્યકતા રહેતી નથી, પણ શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવા માટે ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે, પરંતુ આ વર્ષે ભદ્રા યોગ રહિત રક્ષાબંધન હોવાથી તેનો દોષ રહેતો નથી.