બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / BRTSના અકસ્માતનો કેસ, પરિવારજનોમાં આક્રોશ, વિપક્ષે તંત્ર સામે કર્યા પ્રહાર

રાજકોટ / BRTSના અકસ્માતનો કેસ, પરિવારજનોમાં આક્રોશ, વિપક્ષે તંત્ર સામે કર્યા પ્રહાર

Last Updated: 02:30 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં યમ બનીને દોડતી બીઆરટીએસ બસે અનેક લોકોને કચડ્યા છે.. જેમાં બાળકી અને મહિલા સહિત 4 લોકો કરુણ મોત થયા. આ સમગ્ર મામલે મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ તંત્ર સામે પ્રહાર કર્યા અને કહ્યું કે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ પોતાના લાભ માટે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે

નાગરિકોની સુવિધા માટે દોડતી સિટી બસ હવે કાળ બનીને રોડ પર દોડી રહી છે.. રાજકોટમાં યમ બનીને દોડતી બીઆરટીએસ બસે અનેક લોકોને કચડ્યા છે.. જેમાં બાળકી અને મહિલા સહિત 4 લોકો કરુણ મોત થયા . શહેરના ઈન્દિરા સર્કલ પાસે ચારરસ્તા પર સિટી બસે આગળના વાહનચાલકોને કચડી નાંખ્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિગ્નલ ખુલતા વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.. અને અચાનક પાછળથી સિટી બસ આવી અને ઝડપભેર આગળ વધવાના પ્રયાસમાં નિર્દોષ લોકોને અડફેટે લે છે..

અકસ્માત પછી ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા બસ મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો.. આ ઘટનામાં ચાર લોકો મોતને ભેટી ચૂક્યા છે.. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સિટીબસના વારંવારના અકસ્માતથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી.. જોત જોતામાં લોકોનું મોટું ટોળુ ઉમટી ગયું..અને વિરોધ કરવા લાગ્યું.. લોકોને કાબૂમાં કરવા માટે પોલીસનો કાફલો દોડી આવ્યો.. પણ લોકોનો આક્રોશ વધુ ઉગ્ર થયો હતો

બેકાબૂ બનેલા લોકોએ ટ્રાફિક પોલીસકર્મી પર પણ ટપલીદાવ કર્યો હતો.. ઘટનાની ગંભીરતા જોતા, લોકોને શાંત પાડવા માટે પોલીસ કમિશન બ્રજેશકુમાર ઝાને મેદાનમાં દોડી આવ્યા હતા.. ધારાસભ્ય દર્શિતા શાહ અને સાંસદ રામ મોકરીયા પણ ઘટના સ્થળની મુલાકાત લીધે.. નેતાઓએ બસચાલક સામે કાર્યવાહીની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ જેતપુરમાં સાડીના બે કારખાનામાંથી 31 બાળમજૂરો મળ્યા, ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 15-15 લાખની સહાયની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો ઇજાગ્રસ્તોને 2-2 લાખની સહાય ચૂકવવામાં આવશે

આ સમગ્ર મામલે મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ તંત્ર સામે પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ પોતાના લાભ માટે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે, લાયકાત વગરની કંપનીઓને અને તેમના માણસોને કામ સોંપાય છે..જેના કારણે આવી ઘટનાઓ ઘટે છે અને નિર્દોષ નાગરિકો ભોગ બને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RMC Opposition Rajkot Acccident Rajkot BRTS Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ