બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajkot Jamnagar highway 2 including a child die in an accident near Dhrol

ગોઝારી ઘટના / રાજકોટ- જામનગર હાઇવે બન્યો રક્તરંજિત, ધ્રોલ નજીક અકસ્માતમાં બાળક સહિત 2 ના મોતથી અરેરાટી

Kishor

Last Updated: 03:55 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈબીજના દિવસે જ જામનગર નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળક સહીત બે લોકોના મોત નિપજતા પરિવાર છિન્નભીન્ન થઇ ગયો છે.

  • રાજકોટ- જામનગર હાઇવે પર ધ્રોલ પાસે અકસ્માત 
  • કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • બાળક સહિત 2 લોકોના ઘટના સ્થળે જ મોત

રાજકોટ-જામનગર હાઇવે આજે વધુ એક વખત રક્તરંજિત બન્યો છે. જેમાં આજે ભાઈબીજના દિવસે જ ધ્રોલની આહિર કન્યા છાત્રાલય પાસે અકસ્માત સર્જાયો હતો.   આ ગોઝારી ઘટનામાં બે ના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. 


ધ્રોલ પાસે રાજકોટ જામનગર હાઇવે પર અકસ્માત 
ધ્રોલ પાસે રાજકોટ જામનગર હાઇવે પર કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આશરે 10 વર્ષના બાળક સહીત બીજલભાઈ જેઠવા નામના વ્યક્તિના મોત નીપજયા હતા.  વધુમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઇજા થવા પામી હતી. આથી મહીલાને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.  આ ઉપરાંત એક દોઢ વર્ષની ફૂલ જેવી બાળકીનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. 

કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
પ્રાથમિક વિગત અનુસાર આ પરિવાર અમદાવાદનો હોય અને જામનગર જઇ રહ્યો હતો. આ વેળાએ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી  જઈ તપાસ હાથ ધરી છે. ઉપરાંત મૃતકના પરિવારજનોને જાણ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

મોરબીના હરીપર કેરાળા પાસે અકસ્માતમાં બે ના મોત
ઉલ્લેખનીય છે કે અકસ્માતની વધુ એક ઘટના મોરબીના હરીપર કેરાળા પાસે સામે આવી હતી. જેમાં ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં તેમજ સાતથી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જે અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ