બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajkot Jamnagar highway 2 including a child die in an accident near Dhrol
Kishor
Last Updated: 03:55 PM, 27 October 2022
રાજકોટ-જામનગર હાઇવે આજે વધુ એક વખત રક્તરંજિત બન્યો છે. જેમાં આજે ભાઈબીજના દિવસે જ ધ્રોલની આહિર કન્યા છાત્રાલય પાસે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બે ના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.
ધ્રોલ પાસે રાજકોટ જામનગર હાઇવે પર અકસ્માત
ધ્રોલ પાસે રાજકોટ જામનગર હાઇવે પર કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આશરે 10 વર્ષના બાળક સહીત બીજલભાઈ જેઠવા નામના વ્યક્તિના મોત નીપજયા હતા. વધુમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઇજા થવા પામી હતી. આથી મહીલાને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત એક દોઢ વર્ષની ફૂલ જેવી બાળકીનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.
કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
પ્રાથમિક વિગત અનુસાર આ પરિવાર અમદાવાદનો હોય અને જામનગર જઇ રહ્યો હતો. આ વેળાએ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. ઉપરાંત મૃતકના પરિવારજનોને જાણ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
મોરબીના હરીપર કેરાળા પાસે અકસ્માતમાં બે ના મોત
ઉલ્લેખનીય છે કે અકસ્માતની વધુ એક ઘટના મોરબીના હરીપર કેરાળા પાસે સામે આવી હતી. જેમાં ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં તેમજ સાતથી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જે અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh