બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં કળિયુગી પિતાએ એકના એક પુત્રને મોતને ઘાટ ઉતાર્યો, ભક્તિનગર પોલીસે કરી અટકાયત

ગુજરાત / રાજકોટમાં કળિયુગી પિતાએ એકના એક પુત્રને મોતને ઘાટ ઉતાર્યો, ભક્તિનગર પોલીસે કરી અટકાયત

Published By: Pravin Joshi
Reported By: Sunny Maiyad

Last Updated: 12:14 AM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરના આહીર ચોક નજીક આવેલા નહેરુનગરની શેરી નંબર 8માં પિતા-પુત્રના સંબંધોને શર્મસાર કરતી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે.

રાજકોટ શહેરના આહીર ચોક નજીક આવેલા નહેરુનગરની શેરી નંબર 8માં પિતા-પુત્રના સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. કૌટુંબિક ઝઘડા અને ગૃહક્લેશના ખારમાં એક પિતાએ જ પોતાના એકના એક યુવાન પુત્ર પર ઊંઘમાં હથોડાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ આ કરુણ બનાવને પગલે ૩ બહેનોએ પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવતા પરિવારમાં ઘેરા શોકની લહેર છવાઈ ગઈ છે.

બોલાચાલીનો ખાર રાખી ઊંઘમાં જ માથામાં હથોડા માર્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, નહેરુનગરમાં રહેતા બાબુભાઈ સવસેતાને પોતાના પુત્ર રામ સાથે અવારનવાર પારિવારિક બાબતોને લઈને ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા. આ ગૃહક્લેશથી કંટાળીને અને મનમાં ખાર રાખીને પિતા બાબુભાઈએ પુત્ર રામ ઊંઘી રહ્યો હતો તે જ સમયે તેના પર હથોડા વડે સણસણતા ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે પુત્ર રામનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેડું ઊડી ગયું હતું.

Crime-simple

હત્યા કર્યા બાદ પિતાએ પોતે જ પોલીસને ફોન કર્યો

પોતાના જ દીકરાની હત્યા કર્યા બાદ પિતા બાબુભાઈએ ભાગવા કે પુરાવા છુપાવવાને બદલે પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બનાવ અંગે માહિતી મળતા જ ભક્તિનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક યુવાનની માતા રિસામણે ગયેલી હોવાથી ઘરમાં પિતા અને પુત્ર બંને એકલા જ રહેતા હતા.

આ પણ વાંચોઃ હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી

FSL ની મદદથી તપાસ, આરોપી પિતાની અટકાયત

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી (DCP) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે એફએસએલ (FSL) ની ટીમની મદદ લઈને ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. હાલમાં ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી, હત્યાનો ગુનો નોંધીને આરોપી પિતા બાબુભાઈની સત્તાવાર અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RajkotCrime BhaktinagarPolice CrimeNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ