બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાણી ભરાવાની સમસ્યાથી અમદાવાદીઓ પરેશાન, અમિત શાહે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, AMC આવ્યું એક્શનમાં

અમદાવાદ / પાણી ભરાવાની સમસ્યાથી અમદાવાદીઓ પરેશાન, અમિત શાહે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, AMC આવ્યું એક્શનમાં

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 09:46 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંબલી, બોપલ, ઘુમા અને શેલામાં ચોમાસાના જળભરાવની સમસ્યા દૂર કરવા AMCએ હાઇડ્રોલોજિકલ સર્વે બાદ સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કર્યો.

અમદાવાદમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે તંત્ર દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી છે અને આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચનાને પગલે હાઈડ્રોલોજિકલ સર્વે કરવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંબંધિત વિસ્તારોમાં હાઇડ્રોલોજિકલ સર્વે કરવામાં આવ્યો છે. સર્વેના આધારે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા ઉભી કરવાનો હેતુ

માસ્ટર પ્લાન હેઠળ હાલના ડ્રેનેજ નેટવર્કની ક્ષમતા અને કનેક્ટિવિટીનું મૂલ્યાંકન કરીને નવા ડ્રેનેજ નેટવર્ક ઊભા કરવા તેમજ વિવિધ વિસ્તારોના નેટવર્કનું ઇન્ટર કનેક્શન કરવાની યોજના બનાવવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ભારે વરસાદ દરમિયાન પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા ઊભી કરવાનો છે.

AMC દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી

આ ઉપરાંત, વારંવાર પાણી ભરાતા વોટર લોગિંગ સ્પોટ્સને ઓળખી તેને દૂર કરવા માટે પણ AMC દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ન ભરાય તે માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવાનો પણ સમાવેશ

યોજનામાં ગોતા–ગોધાવી કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવાનો પણ સમાવેશ થાય છે. સાથે જ જરૂરી સ્થળોએ વરસાદી પાણીનો નિકાલ સાબરમતી નદી સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ઘરે પત્તા રમવું ગુનો નહીં, ગુજરાત હાઈકોર્ટે 2018ના કેસમાં આપ્યો ચુકાદો, આવા કિસ્સામાં FIRના કરી શકે પોલીસ

આ પગલાં અમલમાં આવ્યા બાદ આંબલી, બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની સમસ્યામાં ઘટાડો થવાની આશા છે. હવે માસ્ટર પ્લાનના તબક્કાવાર અમલીકરણ પર નજર રહેશે, જેથી દર ચોમાસે ઉભી થતી સમસ્યાનો તાત્કાલિક નહીં પરંતુ કાયમી ઉકેલ મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad waterlogging AMC stormwater drainage master plan Ambli waterlogging

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ