બ્રેકિંગ ન્યુઝ
VTV / Railways To Run 200 Non Ac Timetabled Trains Daily From June 1
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મંગળવારી મોડી સાંજે ટ્વિટ કર્યું હતું કે, આગામી 1 જૂનથી દેશભરમાં 200 નોન એસી મેઇલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવશે, જે ટાઇમ ટેબલ પ્રમાણે ચલાવવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે આ ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકે છે, પરંતુ તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ટિકિટની વ્યવસ્થા નહીં હોય. આ ટ્રેનોનું બુકિંગ IRCTCની વેબસાઇટ પરથી જ કરી શકાશે. કયા દિવસથી બુકિંગ શરૂ થશે, ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
શ્રમિકો માટે ટ્રેન શરૂ થયાં બાદ કરી વધુ એક જાહેરાત
ADVERTISEMENT
इसके अतिरिक्त भारतीय रेल 1 जून से टाइम टेबल के अनुसार प्रतिदिन 200 नॉन एसी ट्रेन चलायेगा जिसकी ऑनलाइन बुकिंग शीघ्र ही शुरु होगी।
— Piyush Goyal (@PiyushGoyal) May 19, 2020
ADVERTISEMENT
ગરીબ શ્રમિકો માટે શ્રમિક સ્પેશિયલ અને અમીરો માટે રાજધાની સ્પેશિયલ શરૂ કર્યા બાદ હવે રેલવે દેશભરમાં મેઇલ એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરવાની તૈયારીમાં છે. રેલ મંત્રીના જણાવ્યા પ્રમાણે 1 જૂનથી દરરોજ 200 નોન એસી ટ્રેનો ટાઇમ ટેબલ પ્રમાણે ચાલશે.
થોડા દિવસ પહેલા 30 જૂન સુધી તમામ ટિકિટોનું બુકિંગ કરાયું છે રદ્દ
ADVERTISEMENT
મહત્વનું છે કે અગાઉ 14 મેના રોજ રેલ્વે શરૂ કરી દેવાની ખબરો આવી હતી. જો કે ત્યારે એ જ દિવસે ફરીથી નિર્ણય રદ્દ કરી દેવાયો હતો. એ દરમ્યાન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવાયું હતું પરંતુ બાદમાં 30 જૂન સુધી તમામ ટિકિટોનું બુકિંગ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો અને પૈસા રિફંડ કરાયા હતાં.
અગાઉ 12 મેથી કેન્દ્ર સરકારે દિલ્હીથી 15 સ્થળો પર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી
ADVERTISEMENT
આ અગાઉ 12 મેથી કેન્દ્ર સરકારે દિલ્હીથી 15 સ્થળો પર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી ચૂકી છે અને તે ઉપરાંત શ્રમિક સ્પેશ્યલ ટ્રેન તો અલગ અલગ રાજ્યોમાં ચાલી રહી છે. આવામાં હવે પેસેન્જર ટ્રેન શરૂ થાય છે તો સામાન્ય પ્રજા માટે મોટી રાહત થશે. કારણ કે લૉકડાઉન 4માં જુદા જુદા રાજ્યોમાં બસો ચલાવવાની મંજૂરી પણ સરકારે આપી છે ત્યારે ટ્રેન શરૂ ન થવાને કારણે થોડી નિરાશા હતી જે 1 જૂન પછી દૂર થશે તેમ કહી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.