કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન મુદ્દે ફરી એક વાર નરેન્દ્ર મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે દેશમાં ફરીથી ગુલામી જેવી પરિસ્થિતિ આવી ગઈ છે. ખેડૂતો ચંપારણ જેવી સ્થિતિમાં આવી ગયા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે દેશના ખેડૂતો ફરી એક વખત ચંપારણ જેવો ત્રાસ ભોગવી રહ્યા છે.
"આંદોલનનો દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે"
તેમણે આગળ કહ્યું કે તે વખતે અંગ્રેજો કંપની બહાદુર હતા જ્યારે હવે મોદી મિત્ર કંપની બહાદુર છે. પરંતુ આંદોલનનો દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે જે પોતાનો અધિકાર લઇને રહેશે.
देश एक बार फिर चंपारन जैसी त्रासदी झेलने जा रहा है।
तब अंग्रेज कम्पनी बहादुर था, अब मोदी-मित्र कम्पनी बहादुर हैं।
लेकिन आंदोलन का हर एक किसान-मज़दूर सत्याग्रही है जो अपना अधिकार लेकर ही रहेगा।
રાહુલે બે દિવસ પહેલા નવા વર્ષ નિમિત્તે એમ પણ કહ્યું હતું કે તેઓ અન્યાય સામે લડતા ખેડૂતોની સાથે છે. 1 જાન્યુઆરીએ તેમણે ટ્વિટ કરીને દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "હું હાર્દિક આદર સાથે અન્યાય સામે લડતા ખેડૂતો અને મજૂરો સાથે છું." બધાને નૂતન વર્ષના અભિનંદન." બે દિવસ પછી, તેમણે બ્રિટિશ યુગમાં ચાંપારણના ખેડૂતોની આજની ખેડૂતો સાથે તુલના કરી છે.
અંગ્રેજોએ ચાંપારણ ક્ષેત્રમાં ગળીની ખેતી કરવાની ફરજ પાડી હતી
નોંધનીય કે બ્રિટિશ કાળમાં, અંગ્રેજોએ નેપાળને અડીને આવેલા ચાંપારણ ક્ષેત્રમાં, બિહારના ઉત્તરીય ભાગમાં, ગળીની ખેતી કરવાની ફરજ પાડી હતી. આ માટે, બ્રિટિશરોએ જમીનના માલિકોને જમીન વાવેતર માટે આપી હતી અને તીન કઠિયા સિસ્ટમ લાગુ કરી હતી, આ અંતર્ગત ખેડૂતોને ત્રણ કાઠમાં ગળીની ખેતી કરવાની ફરજ પાડી હતી.
આ જુલમ વિરુદ્ધ આંદોલન મહાત્મા ગાંધીએ 1917 માં શરૂ કર્યું હતું, જેને સવિનય કાનૂનભંગ આંદોલન કહેવામાં આવે છે. તેને ચંપારણ સત્યાગ્રહ પણ કહેવામાં આવે છે.