બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / IRCTC નું ધમાકેદાર પેકેજ, એક જ યાત્રામાં અયોધ્યા, કાશી, પુરી અને મા કાલીના કરો દર્શન

ટ્રાવેલ / IRCTC નું ધમાકેદાર પેકેજ, એક જ યાત્રામાં અયોધ્યા, કાશી, પુરી અને મા કાલીના કરો દર્શન

Bijal Vyas

Last Updated: 11:55 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા યાત્રાળુઓ માટે IRCTC એક ખાસ 'ભારત ગૌરવ' પ્રવાસી ટ્રેન ચલાવવા જઈ રહી છે.

જગન્નાથ પુરી, ગંગાસાગર, ગયા, વારાણસી અને અયોધ્યા જેવા મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા યાત્રાળુઓ માટે IRCTC એક ખાસ 'ભારત ગૌરવ' પ્રવાસી ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. આ યાત્રા 15 સપ્ટેમ્બર, 2026ના રોજ ઇન્દોરથી શરૂ થશે અને પ્રવાસીઓને 11 દિવસ દરમિયાન દેશભરના અનેક પ્રખ્યાત તીર્થસ્થળોની મુલાકાત લેશે. આ યાત્રા કાર્યક્રમમાં પુરીમાં જગન્નાથ મંદિર, કોલકાતામાં કાલી માતા મંદિર અને ગંગાસાગર, ગયામાં વિષ્ણુપદ મંદિર, વારાણસીમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ અને અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન સામેલ છે.

ક્યાંથી શરુ થશે યાત્રા?

આ ખાસ ટ્રેન ઇન્દોરથી ઉપડશે અને મુસાફરો રૂટ પર ઉજ્જૈન, શુજલપુર, સિહોર, રાણી કમલાપતિ, ઇટારસી, નરસિંહપુર, જબલપુર અને કટનીથી પણ જઇ શકશે. આ 10 રાત, 11-દિવસની મુસાફરી માટે સ્લીપર, 3AC અને 2AC કોચના વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રવાસ કાર્યક્રમ અનુસાર, ટ્રેન 17 સપ્ટેમ્બરે પુરી પહોંચશે, જ્યાં મુસાફરો જગન્નાથ મંદિરના દર્શન કરશે. ત્યારબાદ, યાત્રા કોલકાતા અને ગંગાસાગર તરફ આગળ વધશે.

ગંગાસાગરમાં રાત્રિ રોકાણ કર્યા પછી, યાત્રાળુઓ કોલકાતામાં કાલી મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ, ટ્રેન ગયા પહોંચશે, જે વિષ્ણુપદ મંદિરના દર્શનની તક મળશે. યાત્રાના આગામી તબક્કામાં વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શનનો સમાવેશ થશે. આ ટ્રેન 25 સપ્ટેમ્બરે ઇન્દોર પરત ફરશે, જે યાત્રાના સમાપન તરીકે ઉજવવામાં આવશે.

કેટલો થશે આનો ખર્ચ?

પેકેજની કિંમત કેટેગરી અનુસાર બદલાય છે. સ્લીપર ક્લાસ માટે પ્રતિ વ્યક્તિ ભાડું 19,600 હજાર , 3AC માટે 31,850 હજાર અને 2AC માટે 41,900 હજાર નક્કી કરવામાં આવ્યું છે. આ ભાડામાં ભારતીય રેલ્વેની 'ભારત ગૌરવ' ટ્રેન યોજના હેઠળ આશરે 33 ટકાની છૂટનો સમાવેશ થાય છે.

કઇ કઇ સુવિધાઓ સામેલ ?

ટૂર પેકેજમાં ટ્રેન મુસાફરી, નાસ્તો, લંચ અને ડિનર, હોટેલમાં રહેવાની સુવિધા, સ્થાનિક પરિવહન, દરરોજ બે લિટર બોટલ્ડ પાણી, ટૂર એસ્કોર્ટ, સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરી વીમોનો સમાવેશ થાય છે. ગંગાસાગરમાં મૂળભૂત સુવિધાઓની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે, બધી શ્રેણીઓના પ્રવાસીઓને મલ્ટી-શેરિંગ રૂમ અને સામાન્ય પરિવહન સુવિધાઓ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ 15 ઓક્ટોબર સુધી? બંધ રહેશે ભારતનું આ એરપોર્ટ, જાણો ફ્લાઇટ્સ પર કેમ રોક લગાવાઇ?

જોકે, વ્યક્તિગત ખર્ચ, દવાઓ, લોન્ડ્રી, ખાસ દર્શન ટિકિટ, કેમેરા ફી, કુલી સેવાઓ, બોટિંગ, સાહસિક પ્રવૃત્તિઓ, ટૂર ગાઇડ અને અન્ય વ્યક્તિગત સેવાઓ પેકેજમાં શામેલ નથી. રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC પ્રવાસન વેબસાઇટ અથવા પ્રાદેશિક કચેરીઓ દ્વારા આ યાત્રા બુક કરાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Puri Gangasagar Varanasi Ayodhya IRCTC Tour Package 2026
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ