બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / મકર સંક્રાંતિ પર બસ આટલા સમય સુધી જ રહેશે પુણ્યકાળ, નોટ કરી લેજો, દાન-સ્નાનનું શુભ મુહૂર્ત
Last Updated: 10:54 PM, 12 January 2026
એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ આવે છે. જેમાં મકરસંક્રાંતિને સૌથી મહત્વની સંક્રાંતિ મનાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે. આ દરમિયાન કરવામાં આવતા જપ, તપ અને દાનને ખૂબ જ ફળદાયી મનાય છે. આથી મકરસંક્રાંતિ પર લોકો પવિત્ર નદીએ જઈને પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ દાન કાર્યો કરે છે. મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન માટે પુણ્યકાળ સૌથી શુભ સમય મનાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે મકરસંક્રાંતિ માટે શુભ સમય કયો રહેશે.
ADVERTISEMENT
14 જાન્યુઆરીએ બપોરે 3:13 વાગે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી આ દિવસે મકરસંક્રાંતિ ઉજવવી જોઈએ છે. આ શુભ દરમિયાન સ્નાન, ધ્યાન અને દાનને ફળદાયી મનાય છે. જેમાં પુણ્યકાલ બપોરે 3:13 થી 5:45 સુધી ચાલશે જ્યારે મહાપુણ્યકાલ બપોરે 3:13 થી 4:58 સુધી ચાલશે.
ADVERTISEMENT
મકરસંક્રાંતિનો તહેવાર અનેક રીતે ખાસ મનાય છે. આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના રાશિમાં પ્રવેશ કરે છે જેમાં સૂર્ય અને શનિનું મિલન થાય છે. આ દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી કમુરતા સમાપ્ત થાય છે ત્યાર બાદ લગ્ન જેવા શુભ કાર્યો શરૂ થાય છે.

ADVERTISEMENT
મકરસંક્રાંતિ પર સવારે સ્નાન કરો અને સૂર્ય દેવની પ્રાર્થના કરો. ત્યાર બાદ સૂર્ય અને શનિ સંબંધિત મંત્રોચ્ચાર કરો. જો પોસિબલ હોય તો ભગવદ ગીતાનો પણ પાઠ કરો. આ શુભ સમયે અનાજ, ઘી અને ધાબળાનું દાન કરવું જોઈએ. આ દિવસે તલ અને ગોળનું દાન કરવું શુભ મનાય છે. સાંજે તાજા અનાજમાંથી ખીચડી તૈયાર કરો અને તેને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરો. ત્યાર બાદ તેનું સેવન કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.