બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 14 અથવા 15 જાન્યુઆરી, ક્યારે મનાવાશે મકર સંક્રાંતિ, પંડિતોએ પંચાગ જોઈને આપ્યો જવાબ

ધર્મ / 14 અથવા 15 જાન્યુઆરી, ક્યારે મનાવાશે મકર સંક્રાંતિ, પંડિતોએ પંચાગ જોઈને આપ્યો જવાબ

Nirav Kumar

Last Updated: 04:27 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે મકરસંક્રાંતિના તહેવારને લઇ જ્યોતિષીઓમાં અલગ અલગ મત જોવા મળી રહ્યા છે. મકરસંક્રાંતિનો તહેવાર ક્યારે ઉજવવો અને પૂજા માટે શુભ સમય કયો છે?

આ વખતે મકરસંક્રાંતિના તહેવારની તારીખને લઇ મુંજવણ છે. જેમાં અમુક લોકો કહે છે કે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી 2026 ના રોજ આવશે તો અમુક 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ હોવાનું કહી રહ્યા છે. આ અંગે જ્યોતિષના પંડિતોમાં પણ અલગ અલગ મત છે. ચાલો જાણીએ કે,  મકરસંક્રાંતિ પર પૂજા માટે શુભ સમય વિશે.

આ વર્ષે અનેક અગ્રણી જ્યોતિષીઓ અને પંડિતોમાં મકરસંક્રાંતિની તારીખ અંગે ચર્ચા શરૂ થઈ છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણની શરૂઆત. આ સંક્રાંતિ એ પણ દર્શાવે છે કે દેવતાઓને સૂર્ય તરફથી ધન, સમૃદ્ધિ અને કીર્તિનો આશીર્વાદ મળે છે.

જેમાં એક જ્યોતિષ પંડિતના અભિપ્રાય મુજબ આ સમયે, સૂર્ય 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી 14  જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવી શુભ માનવામાં આવે છે. જે લોકો 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવાની ચર્ચા કરી રહ્યા છે તેમના માટે 15 જાન્યુઆરી ગુરુવાર છે અને તે દિવસે ખીચડી ખાવાની મનાઈ છે. આથી ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ષટ્તિલા એકાદશી સાથે ઉજવવામાં આવશે. જો તમે ઈચ્છો તો 15 જાન્યુઆરીએ ખીચડીનું દાન કરી શકો છો.

તો બીજા એક જ્યોતિષ પંડિતના અભિપ્રાય મુજબ આ સૂર્ય 14 જાન્યુઆરીએ ઉત્તરાયણમાં પ્રવેશ કરશે. તેનો સમય બપોરે 3:13 વાગ્યાનો છે. આ દિવસે દાન માટેનો ખાસ સમય પણ આ સમયગાળા દરમિયાન બપોરે 3:13 થી 5:45 સુધીનો માનવામાં આવે છે. 14 જાન્યુઆરી ષટ્તિલા એકાદશી પર પણ આવવાની છે તેથી તે દિવસને બદલે બીજા દિવસે ચોખાનું દાન કરી શકાય છે. વધુમાં 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવી જોઈએ કેમ કે,આ દિવસે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરશે.

અન્ય એક જ્યોતિષીના મતે મકરસંક્રાંતિ એ સૂર્યનો તહેવાર છે જે પાક, ખેતી અને પ્રકૃતિ સાથે જોડાયેલ છે. મોટાભાગના પંચાંગ અનુસાર, સૂર્ય 14 જાન્યુઆરીએ બપોરે  3:13 વાગે મકર રાશિમાં ગોચર કરશે. અમુક જગ્યાએ આ સમય સવારે 3:07નો પણ જણાવવામાં આવ્યો છે. કેમ કે ગોચરનો સમય સ્થાનના આધારે થોડી મિનિટો બદલાઈ શકે છે. એવું મનાય છે કે ગ્રહોની ઉર્જા તેમના ગોચર પહેલાં જ સક્રિય થવા લાગે છે. આથી પૂજાની વાત આવે ત્યારે પૂજા માત્ર મકરસંક્રાંતિના દિવસે જ કરી શકાય. ચોખા ખાવા કે દાન કરવા અંગે જો કોઈ એકાદશીનું વ્રત રાખે તો તે દિવસે ચોખાનું સેવન કે દાન ન કરવું જોઈએ.

vtv app promotion

આ સિવાય બીજા એક જ્યોતિષીના મતે આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ રાત્રે 9:49 વાગે થશે. આથી આ સંક્રાંતિ રાત્રે થવી જોઈએ. પરંતુ જો કેલેન્ડર મુજબ જો સૂર્યનું રાશિ પરિવર્તન રાત્રે થાય તો મકરસંક્રાંતિ ઉજવવામાં આવતી નથી. કેમ કે મકરસંક્રાંતિ એ સૂર્ય સાથે જોડાયેલો તહેવાર છે તેની તિથી સૂર્યોદયના આધારે નક્કી કરવામાં આવે છે. સૂર્યોદય બાદના 8 કલાકને સંક્રાંતિ કાળ માનવામાં આવે છે અને તે સમયગાળા દરમિયાન મકરસંક્રાંતિનો તહેવાર ધાર્મિક વિધિઓ સાથે ઉજવવામાં આવે છે. મતલબ કે, મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવી જોઈએ.

આ વખતે એકાદશી તિથિ 14 જાન્યુઆરીની સવારે શરૂ થાય છે. આથી સ્નાન અને દાન જેવા ધાર્મિક વિધિઓ પણ 15 જાન્યુઆરીની સવારે કરી શકાય છે. આમ મકરસંક્રાંતિની પૂજા 14 અને 15 જાન્યુઆરી બંને દિવસે કરી શકાય છે.

વધુ વાંચો : મકર સંક્રાતિએ બનશે બુધાદિત્ય રાજયોગ! જે આ 3 રાશિઓને કરાવશે જલસા

  • મકરસંક્રાંતિ 2026નું શુભ મુહૂર્ત
    આ વખતે મકરસંક્રાંતિનો પુણ્ય કાળ 3:13 થી 5:45 અને મહાપુણ્ય કાળ 3:13 થી 4:48 વાગ્યાનો છે. આ દરમિયાન કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓનું સારું પરિણામ મળે છે. જેમાં લોકો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને અને પછી પૂજા અને દાન કરે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 9:03 થી 10:48 વાગ્યાનો છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Worship Festival Makar Sankranti
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ