બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / problems in conceiving worship skandmata on fifth day of chaitra navratri

Chaitra Navratri 2024 / શેર માટીની છે ખોટ? તો આજે પાંચમા દિવસે આ રીતે કરો સ્કંદમાતાની પૂજા, થશે લાભ

Published By: Arohi

Last Updated: 04:47 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2024: નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજાથી સંતાન પ્રાપ્તીનું સુખ પ્રાપ્ત થાય છે. કષ્ટ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.

હિંદૂ ધર્મમાં નવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. નવરાત્રીમાં માતા આદિશક્તિના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત હોય છે. તેમની પૂજાથી સંતાન પ્રાપ્તીનું સુખ પ્રાપ્ત થાય છે. કષ્ટ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. 

સ્કંદમાતા પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. તેમના કષ્ટોને દૂર કરી લૌકિક સુખ, સમૃદ્ધિ આપે છે. ભગવાન કાર્તિકેય એટલે કે સ્કંદની માતા હોવાના કારણે તેમને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. 

સ્કંદમાતાનું સ્વરૂપ 
માતાનું સ્વરૂપ અલૌકિક છે. માતાની ચાર ભુજાઓ છે. માતાએ પોતાની ઉપર વાળી ડાબી ભૂજાઓમાં બાળ કાર્તિકેયને ખોળામાં લીધા છે અને નીચે વાળી ડાબી ભૂજાઓમાં કમળ પુષ્પ લીધુ છે. ઉપર વાળી જમણી ભૂજાઓથી તેમને જગત તારણ વરદ મુદ્રા બનાવી છે અને નીચે વાળી જમણી ભુજામાં કમળ પુષ્પ છે. માતાને કમળનું આસન અત્યંત પ્રિય છે. માટે કમળમાં બિરાજમાન છે. તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે. 

આ રીતે કરો પૂજા 
સ્કંદમાતાની ઉપાસના માટે સાંજે ઉઠીને પૂજા સ્થળની સાફ સફાઈ કરી લો. ત્યાર બાદ સ્નાન કરી સ્વચ્છ કપડા ધારણ કરો. હવે આસન લઈને શાંત મનમાં માતાની સાથે બેસી જાઓ અને પછી માતાની સ્તુતિમાં લીન થઈ જાઓ. માતાની પ્રતિમાને ગંગા જળથી શુદ્ધ કરો. તેના બાદ કુમકુમ, અક્ષત, ધૂપ, દીપ, નીવેદ, સહિત શ્રૃંગાર વગેરે ચડાવો ચડાવો. 

માતાની પૂજાથી સંતાન પ્રાપ્તિ થાય છે. માટા માતાની પૂજાના સમયે લાલ કપડામાં સોળ શણગારનો સામાન અને લાલ ફૂલ, પીળા ચોખા અને એક નારિયેળને બાંધીને માતાજીના ખોળામાં મુકો. માનવામાં આવે છે કે આનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. 

માતાનો ભોગ 
સ્કંદમાતાને કેળાનો ભોગ લગાવો અને અનાજથી બનેલા ખાદ્ય પકવાનના ભોગ ચડાવો. આ માતાને ખૂબ જ પ્રિય છે. માતાને ખીર અને દૂધથી બનેલા ભોગ ખૂબ જ પ્રિય છે. 

વધુ વાંચો:  નવરાત્રીના પાંચમાં નોરતે કરો સ્કંદમાતાની પૂજા, જાણો વિધિ અને પૂજા મંત્ર

સ્કંદ માતાનો પૂજન મંત્ર
1- सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया।
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी।।

2- या देवी सर्वभूतेषु माँ स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

3-‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra navratri 2024 Worship skandmata ચૌત્રી નવરાત્રી 2024 સ્કંદમાતા Chaitra Navratri 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ