બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
Dinesh
Last Updated: 09:04 PM, 9 April 2024
આ વખતે રામનવમી પર સૂર્યના કિરણો રામ મંદિરમાં શ્રી રામલલાનો અભિષેક કરશે. અત્રે જણાવીએ કે, મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પડશે. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થશે અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળશે. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થવા જઈ રહ્યો છે. મંદિરના પૂજારી અશોક ઉપાધ્યાયના જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ ગર્ભગૃહની ઉપર ત્રીજા માળે સૂર્ય તિલક માટે વૈજ્ઞાનિકોએ ઉપકરણો સ્થાપિત કર્યા હતા. રવિવારે બપોરની આરતી પછી જ્યારે પહેલો ટ્રાયલ થયો ત્યારે રામલલાના હોઠ પર કિરણો પડ્યાં હતાં. ત્યારબાદ ફરીથી લેન્સ સેટ કર્યા બાદ સોમવારે ટ્રાયલ થયું અને માંથા પર કિરણો પડ્યા હતાં. જેના કારણે હવે રામ નવમી પર સૂર્ય તિલકનું આયોજન નિશ્ચિત ગણાય છે.
ADVERTISEMENT
जय श्री सीता राम।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 9, 2024
नवरात्रि के प्रथम दिवस एवं नव वर्ष के आगमन का उत्सव आज श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार और उनके भक्तों ने उमंग एवं उत्साह के साथ मनाया। pic.twitter.com/LwugAoxHLm
ADVERTISEMENT
100 LED સ્ક્રીન પર જોવા મળશે સૂર્ય તિલક
ત્રણ દિવસ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ નવમી પર સૂર્ય તિલકની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે સમગ્ર અયોધ્યામાં 100 LED સ્ક્રીન પરથી પ્રસારિત થશે. અગાઉ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ વખતે સૂર્ય તિલક કરવું મુશ્કેલ છે.
શ્રી રામલલા મંદિરના દર્શન પ્રભારી ગોપાલે કહ્યું કે, 17 એપ્રિલે રામનવમી છે. બપોરે 12 વાગ્યે ભગવાનના પ્રાગ્રટ્ય થશે. ત્યારે સૂર્ય રોશની ભગવાનના મસ્તક પર આવશે તેવો વૈજ્ઞાનિકો પ્રયાસ કરશે. આજ તેનો ટેસ્ટિંગ થયોય એક પ્રકારનો આ ટ્રાયલ પૂર્ણ થયો છે. આ જોતા વિશ્વાસ આવ્યો છે કે, 17 એપ્રિલે રામનવમી પર્વ પર ભગવાનના મસ્તક પર સૂર્ચ તિલક થશે.
जय श्री सीता राम।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 9, 2024
नवरात्रि के प्रथम दिवस एवं नव वर्ष के आगमन का उत्सव आज श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार और उनके भक्तों ने उमंग एवं उत्साह के साथ मनाया। pic.twitter.com/LwugAoxHLm
50 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવશે રમા મંદિર
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ જન્મ ઉત્સવની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રામ નવમી પર રામ મંદિર અને સમગ્ર સંકુલને લગભગ 50 ક્વિન્ટલ દેશી-વિદેશી ફૂલોથી શણગારવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર રામ મંદિરના ગર્ભ ગ્રહ સિવાય, રંગ મંડપ, નૃત્ય મંડપ, ગુઢી મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ સહિત તમામ પાંચ મંડળો, શિખરની બહારની દિવાલો અને ભાગો.
હેલિકોપ્ટરથી કરાશે પુષ્પવર્ષા
અત્રે ઉલ્લેખનીય છે કે, જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી તેવી જ રીતે રામનવમી એટલે કે 17મી એપ્રિલે પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. જે માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. હેલિકોપ્ટરમાંથી રામ ભક્તો પર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT