ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 28 ઓગસ્ટે ચંદ્રગ્રહણ: ગર્ભવતી મહિલાઓને કેમ રાખવામાં આવે છે ખાસ સાવચેતી? જાણો માન્યતા પાછળનું કારણ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 28 ઓગસ્ટે ચંદ્રગ્રહણ: ગર્ભવતી મહિલાઓને કેમ રાખવામાં આવે છે ખાસ સાવચેતી? જાણો માન્યતા પાછળનું કારણ

Last Updated: 08:45 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 ઑગસ્ટ 2026ના આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવા, બહાર ન જવા અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

1/7

photoStories-logo

1. ચંદ્રગ્રહણ

વર્ષ 2026નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઑગસ્ટ 2026ના શુક્રવારે લાગવાનું છે. આ વખતે તે આંશિક ચંદ્રગ્રહણ હશે. ભારતીય સમય મુજબ સવારે લગભગ 8:04 વાગ્યાથી તેની આંશિક અવસ્થા શરૂ થશે અને 11:21વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં લાગશે. ગ્રહણને લઈને ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓમાં અનેક વાતો કહેવાય છે. જેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ સાવચેતી રાખવાની સલાહ અપાય છે. પણ આખરે ગર્ભવતી મહિલાઓ માટે જ ગ્રહણના સમયે આટલી વિશેષ માન્યતાઓ કેમ છે? ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે શું માન્યતા?

હિંદુ પરંપરામાં ગ્રહણને સામાન્ય સમયથી અલગ અને વિશેષ કાળ માનવામાં આવે છે. પુરાણા સમયથી જ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની અને જેમાં અમુક ખાસ કામોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવતી રહી છે. ધાર્મિક માન્યતા એ છે કે ગ્રહણ દરમિયાન નીકળતી વિશેષ કિરણો અને વાતાવરણમાં થતા ફેરફારોનો ગર્ભમાં પલાયેલા બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. આ જ વિશ્વાસને કારણે ગર્ભવતી મહિલાઓને ગ્રહણ જોવાથી બચવાની અને ઘરમાં સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓને કેમ રોકવામાં આવે છે બહાર જવાથી?

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી શકે છે. આથી ગર્ભવતી મહિલાઓને આ સમયે બહાર જવાથી બચવાની સલાહ અપાય છે. પહેલાના સમયમાં ગ્રહણ દરમિયાન ઘરોમાં વિશેષ પૂજા-પાઠ થતા અને લોકો સામાન્ય પ્રવૃત્તિઓ પણ મર્યાદિત કરી દેતા. આવી પરિસ્થિતિમાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને વધારે સાવચેતીમાં રાખવાની પરંપરા ધીમે ધીમે ધાર્મિક માન્યતાનો હિસ્સો બની ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગ્રહણના સમયે સોય-કાતર વાપરવાની માન્યતા

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને સોય, કાતરી કે કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આવું કરવાથી ગર્ભમાં બાળક પર ખરાબ અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ગ્રહણ જોવાની કેમ કરવામાં આવે છે મનાઈ ?

પરંપરા અનુસાર ગર્ભવતી મહિલાઓને ગ્રહણ દરમિયાન ચંદ્રમા તરફ સીધું જોવાથી બચવાની સલાહ અપાય છે. જેમાં એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયે ચંદ્રની સ્થિતિમાં થતા ફેરફાર અને તેની સાથે જોડાયેલી ઊર્જા ગર્ભસ્થ બાળકને અસર કરી શકે છે. આથી જ પરિવારના વડીલો ગર્ભવતી મહિલાઓને ગ્રહણ દરમિયાન ઘરની અંદર રહેવાની સલાહ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગ્રહણના સમયે મંત્ર જાપની પણ પરંપરા

ધાર્મિક માન્યતાઓમાં ગ્રહણનો સમય પૂજા-પાઠ અને મંત્ર જાપ માટે વિશેષ માનવામાં આવે છે. જેમાં એવી માન્યતા છે કે ગ્રહણ દરમિયાન કરેલા મંત્ર જાપનું વિશેષ ફળ મળે છે. ગર્ભવતી મહિલાઓ પણ પોતાની શ્રદ્ધા અનુસાર આ સમયે ભગવાનનું નામ કે મંત્ર જાપ કરી શકે છે. તેના માટે કોઈ કઠિન ધાર્મિક વિધિ અનુસરવી જરૂરી નથી. મનને શાંત રાખીને ભગવાનનું સ્મરણ કરવું પણ પૂરતું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

beliefs lunar eclipse pregnant women
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ