મહારાષ્ટ્રટમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે ચાલી રહેલા દંગલમાં હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસે એન્ટ્રી કરી દીધી છે. NCP નેતા પ્રફુલ્લ પેટેલે બુધવારે કહ્યુ કે, અમે વિપક્ષમાં બેસવા માટે જનાદેશ મળ્યો છે પરંતુ જો સ્થિતિ બદલાશે તો અમે વિચાર કરી શકીએ છીએ. તમને જણાવી દઇએ કે બુધવારના ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળની બેઠક છે. આ વચ્ચે NCP નેતાની તરફથી નિવદેન મળ્યુ.
શિવસેના-ભાજપની વચ્ચે CM પદ પર રાર
NCP નું નિવદેન, સ્થિતિ બદલાશે તો વિચાર કરીશું
પ્રફુલ્લ પટેલે કહ્યુ કે, અમે વિપક્ષમાં બેસીસું
મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભાજપ એકબીજા પર વાર કરી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, જો ''ભાજપ ગંઠબંધનના ધર્મનું પાલન નહી કરે, તો શિવસેના પાસે અન્ય વિકલ્પ પણ છે. ભાજપ તેમણે આ વિચાર કરવા માટે મજબૂર ના કરે.''
કોંગ્રેસની તરફથી સતત કહેવામાં આવી રહ્યુ છે કે, ''જો શિવસેના અમને પ્રસ્તાવ આપે છે તો સરકાર બનાવવા પર વિચાર કરી શકીએ છીએ.''
Praful Patel, Nationalist Congress Party (NCP), in Mumbai: The people's mandate (in #MaharashtraAssemblyElections) is for us to sit in the Opposition. If the situation changes, then we will see. pic.twitter.com/WkZHoDLDeZ
તો NCP ના છગન ભુજબલે પણ શિવસેનાનો ભાજપ સાથે છોડીને તેમની સાથે જોડાવવા માટે કહ્યુ. જોકે શિવસેના તરફથી સત્તાવાર કોઇ નિવેદન આવ્યુ નથી.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ વખતે ભાજપ અને શિવસેના એક સાથે ચૂંટણી લડ્યા અને બંને સંગઠનોને બહુમત મળી. પરંતુ ચૂંટણી પરિણામો પછી સીએમ પદ પર કોણ આવશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ NCP- કોંગ્રેસ સતત કહી રહી છે કે તેમણે સરકાર બનાવવા માટે જનાદેશ નથી મળ્યો.
મહારાષ્ટ્રમાં કોણે કેટલી સીટ મળી:
ભાજપ 105
શિવસેના 56
કોંગ્રેસ 44
NCP 54
એક તરફ NCP- કોંગ્રેસની તરફથી શિવસેનાને પોતાની તરફ આવવા માટે કહેવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ ભાજપ નેતા સુધીર મુનગંટીવારે નિવેદન આપ્યુ કે, જો શિવસેના વિપક્ષા પા્રીટઓની સાથે જવા માટે વિચારી છે તો વિપરીત બુદ્ઘિ સમાન હશે. ભાજપના નેતા સતત શિવસેનાનો સાથ આપી સરકાર બનાવવા ઇચ્છે છે, પરંતુ સીએમ પદ માટે સતત આરપાર જારી છે.