બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / politics pradhanmantri gareeb kalyan ann yojana bjp to campaign about this scheme

પ્રચાર / 2022 પહેલા ભાજપે બનાવી રણનીતિ, મોદી સરકારની આ યોજનાનો જોરદાર પ્રચાર કરાશે

Published By: Arohi

Last Updated: 01:58 PM, 3 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યકર્તાઓને નવેમ્બર 2021 સુધી આ પ્રચાર યોજના ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

  • ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રચાર
  • બેગની ડિઝાઈન પણ કેન્દ્રીય કાર્યાલય તરફથી આપવામાં આવશે
  • નવેમ્બર 2021 સુધી આ પ્રચાર યોજના જાહેર કરવા આવશે 

આવનાર દિવસોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તર પ્રદેશ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે. 400થી વધારે વિધાનસભા સીટો વાળા આ રાજ્યમાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો ખૂબ પ્રચાર કરવાની યોજના બનાવી છે. આ યોજનાના પ્રચાર માટે લોકલ લેવલ પર કાર્યકર્તાઓને આદેશ પણ આપવામાં આવ્યો છે. 

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રચાર
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, બિજેપીના સંગઠન કાર્યકર્તાઓએ કહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ખૂબ પ્રચાર કરવામાં આવે. જેના માટે બીજેપી શાસિત રાજ્યોમાં દરેક રાશન દુકાનો પર પાંચ કિલો ઘઉં અથવા ચોખાના વિતરણનું બેનર લગાવવામાં આવશે. જેમાં પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીની તસ્વીર હોય. 

બેગની ડિઝાઈન પણ કેન્દ્રીય કાર્યાલય તરફથી આપવામાં આવશે
આટલું જ નહીં અનાજ લઈ જવા માટે બેગની ડિઝાઈન પણ કેન્દ્રીય કાર્યાલય તરફથી આપવામાં આવશે. જેના પર કમળનું નિશાન લગાવીને તેનું વિતરણ કરવા કહેવામાં આવ્યું છે. પાર્ટીએ ભાજપના શાસન સિવાયના રાજ્યોમાં પણ કમળના નિશાન લગાવીને બેગ વહેચવાનું કહ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ તેનો પ્રચાર કરવા માટે કહ્યું છે.

નવેમ્બર 2021 સુધી આ પ્રચાર યોજના જાહેર કરવા આવશે 
પાર્ટી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કાર્યકર્તાઓને નવેમ્બર 2021 સુધી આ પ્રચાર યોજના જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટીના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનોમાં આ સંપૂર્ણ અભિયાનમાં કોવિડ નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ દેશવાસિઓને નવેમ્બર 2021 સુધી આ મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Campaign politics pradhanmantri gareeb kalyan yojana scheme પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ભાજપ Pradhan Mantri Garib Kalyan yojana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ