બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / PM Modi નું ગમછો લહેરાવીને સુરતનાં બિહારીઓએ કર્યું ભવ્ય સ્વાગત
Last Updated: 08:42 PM, 15 November 2025
PM Modi live at surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (15 નવેમ્બર) ગુજરાત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં બંધાઈ રહેલા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવમોગરા મંદિરમાં પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી.ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડોરી માતાને કુળદેવી માનવામાં આવે છે. વડાપ્રધાને ડેડિયાપાડામાં 4 કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
પીએમ મોદીનો રોડ શો
રોડ શો પછી, વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ₹9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ઉલ્લેખનિય છે કે, દિલ્હી જવા રવાના થતા પહેલાં તેઓ સુરત એરપોર્ટ પર બિહારી સમુદાય સંબોધવા સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે. બિહારીઓ દ્વારા ગમછો લહેરાવી પીએમ મોદીને આવકારવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંંચોઃ JCC સ્કેમ: ડૉ. પાર્શ્વ વોરાએ કૌભાંડ છુપાવવા ડેટા ડિલિટ કરી કાગળોનો નાશ કર્યો, આવી ગયો હતો અંદાજો!
સુરતમાં ભવ્ય જનસભાનું સંબોધન
ADVERTISEMENT
Surat સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, હાલમાં નામદાર જે પ્રકારની હરકતો કરી રહ્યા છે તેનાં કારણે કોંગ્રેસ સતત ઇતિહાસ બનતી જઇ રહી છે. બિહારી ફરી એકવાર કોંગ્રેસને યાદ અપાવ્યું છે કે, તમારું હવે કોઇ ઔચિત્ય રહ્યું નથી. તમને હવે લોકો પસંદ કરતા નથી. દેશનું કોઇ રાજ્ય કે કોઇ સમુદાય એવો નથી રહ્યો કે જે કોંગ્રેસને પ્રેમ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.