બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Kishor
Last Updated: 11:26 AM, 28 July 2023
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના મહેમાન બન્યા છે. બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન સૌરાષ્ટ્રના વિકાસને પણ ઈન્ટરનેશનલ પાંખો આપવાનો પ્રયાસ કરાયો હતો. બાદમાં વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. જે બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભાને સંબોધન કર્યું છે. હવે પ્રવાસના બીજા દિવશે આજે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે.
ગાંધીનગરમાં PMના વિવિધ કાર્યક્રમ
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજના તેઓના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તે સેમિકોન ઈન્ડિયા 2023નુ ઉદ્ઘાટન કરશે. વધુમાં PM મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠકો કરશે. જ્યા સબંધિત લોકોને સાંભળ્યા બાદ એક્ઝીબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવે તેવી શકયતા રહેલી છે. વધુમાં બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે.
MP બાબુ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલાએ કર્યું આયોજન
નોંધનિય છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભોજન સમારંભનું નવનિયુક્ત સાંસદો બાબુ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભોજન સમારોહના આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ, MP-MLA તથા સંગઠનના હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભોજન સમારંભમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અને તેને લઈને જાજરમાન વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime