બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:04 PM, 8 March 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ટીએમસી સરકારની આકરી ટીકા કરી હતી અને આ ઘટનાને માત્ર રાષ્ટ્રપતિનું અપમાન જ નહીં પરંતુ ભારતના બંધારણ અને લોકશાહીની ભાવના પર પણ હુમલો ગણાવ્યો હતો.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ મુદ્દો ઉઠાવતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળના લોકો ટૂંક સમયમાં ટીએમસીના ગંદા રાજકારણ અને સત્તાના ઘમંડને તોડી નાખશે.
🚨"कल पश्चिम बंगाल में TMC सरकार ने देश की राष्ट्रपति आदरणीय द्रौपदी मुर्मू जी का घोर अपमान किया है...मैं आज देश की राजधानी से आप सभी के बीच यह आवाहन कर रहा हूं कि एक आदिवासी राष्ट्रपति का घोर अपमान करने वाली TMC की यह गंदी राजनीति और सत्ता का अहंकार बहुत जल्द चूर-चूर होकर रहेगा" https://t.co/x8qUJag1LI pic.twitter.com/pDPeauW68V
— Janta Journal (@JantaJournal) March 8, 2026
ADVERTISEMENT
પીએમએ કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંથાલ આદિવાસી પરંપરાના એક મોટા ઉત્સવમાં હાજરી આપવા બંગાળ ગયા હતા, પરંતુ ટીએમસીએ રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજના તે પવિત્ર અને મહત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.
This is shameful and unprecedented. Everyone who believes in democracy and the empowerment of tribal communities is disheartened.
— Narendra Modi (@narendramodi) March 7, 2026
The pain and anguish expressed by Rashtrapati Ji, who herself hails from a tribal community, has caused immense sadness in the minds of the people… https://t.co/XGzwMCMFrT
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી જણાવ્યું કે, "પશ્ચિમ બંગાળમાં TMCએ સરકારે તમામ હદ પાર કરી દીધી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટતંત્ર જવાબદાર છે. એ પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ સરકાર સંથાલ સંસ્કૃતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને આટલી બેદરકારીથી લઈ રહી છે. રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે, અને તેની ગરિમાનું હંમેશા સન્માન કરવું જોઈએ."
ADVERTISEMENT
LIVE: President Droupadi Murmu addresses the 9th International Santal Conference being organised by the International Santal Council at Darjeeling, West Bengal https://t.co/9CHskLdTlB
— President of India (@rashtrapatibhvn) March 7, 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિલિગુડીના ફાંસીદેવા ખાતે યોજાયેલા સંમેલન માટે પસંદ કરાયેલા સ્થળના કદ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, 'સંમેલન માટે પસંદ કરેલું સ્થળ ખૂબ નાનું હતું, જ્યાં 5,000 લોકો માટે પણ પૂરતી જગ્યા નહોતી. બિધાનનગર મેદાન જેવા મોટા સ્થળો ઉપલબ્ધ હોવા છતાં આટલી નાની જગ્યા કેમ પસંદ કરાઈ? જો મોટું મેદાન હોત તો લાખો સંથાલ ભાઈ-બહેનો ભાગ લઈ શક્યા હોત. મમતા બેનરજી મારી નાની બહેન સમાન છે, મને નથી લાગતું કે તે મારાથી ગુસ્સે હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે આવી વ્યવસ્થા કેમ?'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.