બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Vaidehi
Last Updated: 03:59 PM, 20 January 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીનાં અયોધ્યામાં રામમંદિરમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય યજમાન રહેશે. આ ભવ્ય આયોજનમાં દેશ જ નહીં પણ વિદેશમાંથી પણ અતિથિ જોડાશે. આ સમારોહ માટે વિશેષ સુરક્ષાનું પણ આયોજન છે. આ વચ્ચે PM મોદીનાં અયોધ્યા પ્રવાસ દરમિયાન સરકારી કાર્યક્રમનું શિડ્યૂલ સામે આવ્યું છે.
A blessed day in Ayodhya.
— Narendra Modi (@narendramodi) August 5, 2020
This day will remain etched in the memory of every Indian.
May the blessings of Bhagwan Shree Ram always be upon us. May India scale new heights of progress. May every Indian be healthy and prosperous. @ShriRamTeerth pic.twitter.com/4JbHYcTv0b
PM મોદીનો શિડ્યૂલ
PM મોદી સોમવારે 22 જાન્યુઆરીનાં સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે અને 10.55 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ મંદિર પહોંચશે. બપોરે 12.05 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે. આ બાદ બપોર 1 વાગ્યે અયોધ્યામાં સાર્વજનિક કાર્યક્રમમાં જોડાશે. બપોરે 2.15 વાહ્યે કુબેર ટીલા પર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આઠ હજારથી વધારે મહેમાનો સામેલ થશે જેમાં દેશનાં પ્રધાનમંત્રીથી લઈને મોટા-મોટા સંતો, રાજનેતાઓ, અભિનેતાઓ અને અન્ય લોકો સામેલ થશે.
જનસભાનું સંબોધન
રામમંદિર નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેંદ્ર મિશ્રે થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસનાં અવસર પર PM મોદી જનસભાનું સંબોધન કરશે. મંદિરની સામે એક કેન્દ્રીય શિખર અને 2 પાર્શ્વ શિખર તેમજ ખુલ્લા મંચ પર ખુરશીઓ લગાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે અહીં આશરે 6000 ખુરશીઓ ગોઠવવામાં આવશે. PM મોદી, શ્રીરામની પ્રતિમાનાં નેત્ર આવરણ ખોલશે અને રામ પ્રતિમાને જળથી સ્નાન કરાવવામાં આવશે. લોકો નવી પ્રતિમાનાં દર્શનને લઈને તો ઉત્સાહિત છે જ સાથએ તેમને જૂની પ્રતિમા માટે પણ અથાગ શ્રદ્ધા છે.
વધુ વાંચો: થિયેટરમાં મોટા પડદાં પર જુઓ રામલલ્લાનું આગમન: માત્ર 100 રૂપિયા ટિકિટ, પૉપકોર્ન-પાણી મફત
વિદેશમાં પણ આયોજન
માત્ર દેશ જ નહીં વિદેશોમાં પણ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગજબ તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીનાં માત્ર ભારત જ નહીં પણ સમગ્ર દુનિયામાં દિવાળી ઊજવવામાં આવશે અને દુનિયાનાં 60થી વધારે દેશોમાં 200થી વધારે સ્થાનો પણ વિશેષ કાર્યક્રમ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime