ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / pm modi new chairman of somnath trust

નિર્ણય / PM મોદી બન્યા સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન, વર્ચ્યૂઅલ બેઠકમાં લેવાયો નિર્ણય

Published By: Kavan

Last Updated: 07:52 PM, 18 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. આજની વર્ચ્યૂઅલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન છે.

ADVERTISEMENT

મહત્વનું છે કે અત્યાર સુધી સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ આરુઢ હતા પરંતુ તેમના નિધન પછી આ જગ્યા ખાલી પડી હતી અને હાલમાં યોજાયેલી બેઠકમાં આ અધ્યક્ષ પદે પીએમ મોદીની વરણી કરવામાં આવી હતી. 

મહત્વનું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને માર્ગદર્શક મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના સભ્ય છે અને આ ટ્રસ્ટ સોમનાથ મંદિર અને પ્રભાસ ધાર્મિક તીર્થ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે.  

સોમનાથનું મહત્વ જાણો

  • સોમનાથ મંદિર 12 જ્યોર્તિલિંગોમાં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ છે
  • સોમનાથ મંદિર વિશ્વમાં હિંદુ ધર્મનું અજોડ પ્રતિક છે
  • સોમનાથનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યાનો ઉલ્લેખ છે
  • ઋગવેદમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે
  • ભાલકા તીર્થથી કૃષ્ણએ દેહત્યાગ કરીને વૈકુંઠ પર્યાણ કર્યું હતું
  • ચંદ્રના શ્રાપનું નિવારણ કરનારા ખુદ શિવનું સ્થાપન સોમનાથમાં છે
  • સોમના કષ્ટને દૂર કરનારા પ્રભુ શિવ પરથી તેનું નામ સોમનાથ પડ્યું
  • 11મી સદીમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો
  • ગઝનવીએ મંદિરની સંપત્તિ લૂંટી અને મંદિર નષ્ટ કર્યું હતું
  • રાજા ભીમ અને માળવાના રાજા ભોજે મંદિરનું પુનનિર્માણ કરાવ્યું
  • 1297માં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાત પર કબ્જો કર્યો તો 5મી વાર મંદિર તોડ્યું
  • મોઘલ બાદશાહ ઔરંગઝેબે 1706માં મંદિરની ફરી તોડી પાડ્યું
  • અત્યારે જે મંદિર ઉભું છે તેનો સરદાર વલ્લભભાઈએ જિર્ણોધ્ધાર કર્યો હતો
  • 1995માં ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ મંદિરને રાષ્ટ્રને સમર્પિત કર્યું
  • મંદિરને વારંવાર ખંડિત કરાયું છતાં શિવલિંગને આંચ આવી નથી
  • સૌરાષ્ટ્રના રાજા દિગ્વિજય સિંહે 1950માં મંદિરની આધાર શિલા રાખી હતી
  • 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગ સ્થાપિત કર્યું હતું
  • નવું સોમનાથ મંદિર 1962માં બનીને તૈયાર થયું હતું

સંકળાયેલા મુદ્દાઓ

PM modi પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી somnath mandir trust

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ