કોરોનાકાળ દરમિયાન ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરવા જઇ રહ્યાં છે. પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે. જો કે પીએમ મોદીના રાષ્ટ્રને સંબોધનમાં શું હોઇ શકે તેને લઇને ફરી લોકો વિચાર કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કોરોના વાયરસ સંકટ વચ્ચે પીએમ મોદી સતત લોકોને નિયમનું પાલન કરવા અપીલ કરી રહ્યાં છે. પીએમ મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી કોઇ ઢીલાઇ નહીં.
રાષ્ટ્રજોગ સંબોધનમાં શું હોઈ શકે?
કોરોના મહામારીમાં દેશની સ્થિતિ શું છે તે બાબતે બોલી શકે
ચીન સરહદે ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ સંબોધન હોઈ શકે
કોરોના મહામારી અને રસીને લઈને પણ મુદ્દો સંબોધનમાં હોઈ શકે
ચૂંટણીઓની મોસમમાં નાગરિકોએ કેવી રીતે સલામતી કેવી રીતે જાળવવી તેના વિશે પણ વાત કરી શકે
કોરોનાકાળમાં દેશની આર્થિક પરિસ્થિતિને લઈને પણ વાત કરી શકે
ખેડૂતોના 3 કાયદાઓ વિશે પણ PM મોદી સંબોધન કરી શકે
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.