બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખુશખબર : 57 કરોડ લોકોના જન ધન ખાતામાં આવશે 3.67 લાખ કરોડ રુપિયા, જાણો ક્યારે
Last Updated: 04:46 PM, 7 December 2025
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ના લાભાર્થીઓની સંખ્યા 57.11 કરોડે પહોંચી છે. જેમાં તેમના ખાતાઓમાં 2.74 લાખ કરોડ રૂપિયા જમા છે. એવામાં નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગારાજુએ જણાવ્યું હતું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આ જન ધન ખાતાઓમાં 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની યોજના ધરાવે છે. દેશભરના 57.11 કરોડ જન ધન ખાતાઓમાં 274,033.34 કરોડ રૂપિયા જમા છે. તેમાંથી 78.2 ટકા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં છે, જેમાં 50 ટકા હિસ્સો મહિલાઓનો છે.
ADVERTISEMENT
એક કાર્યક્રમમાં બોલતા એમ. નાગારાજુએ જણાવ્યું હતું કે દેશભરમાં જન ધન ખાતાઓમાં સરેરાશ બેલેન્સ હવે વધીને 4,815 રૂપિયા થઈ ગયું છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા કુલ 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની યોજના છે.

ADVERTISEMENT
હૈદરાબાદમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં એમ. નાગારાજુએ જણાવ્યું હતું કે, 2014માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે જેને 57 કરોડથી વધુ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે.
ADVERTISEMENT
તેમને કહ્યું હતું કે, માર્ચ 2025માં ભારતનો નાણાકીય સમાવેશ સૂચકાંક 67 સુધી પહોંચી ગયો છે જે દર્શાવે છે કે દેશમાં નાણાકીય સેવાઓની પહોંચ સુધરી રહી છે અને ગુણવત્તામાં પણ સુધારો થઈ રહ્યો છે. 2021માં શરૂ કરાયેલ નાણાકીય સમાવેશ સૂચકાંક 97 સૂચકાંકો પર આધારિત છે જેમાં બેંકિંગ, વીમા, પેન્શન, રોકાણો અને પોસ્ટલ સેવાઓનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.