બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / petition on high court against Ahmedabad municipal commissioner
ADVERTISEMENT
વિજય નહેરાના નેતૃત્વમાં અમદાવાદ કોર્પોરેશનની કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરી નિષ્ફળ રહી એવું માની તેને કોરોન્ટાઈન કરાયા ત્યારબાદ ગુજરાત સરકારે મુકેશ કુમારને અમદાવાદના નવા કમિશનર બનાવ્યા. જો કે મુકેશ કુમારની સાથે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવાં રાજીવ ગુપ્તાને પણ સ્પેશિયલ ડ્યુટીમાં નિરિક્ષક બનાવાયા. આ બંને જવાબદારીમાં આવતાં જ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ. આથી અકળાઈને અમદાવાદના એક અરજદારે તમામ અધિકારીઓની અણઆવડત વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે.
અરજદારે હાઈકોર્ટની પિટિશનમાં ઉલેખ્યું છે કે લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને હાલાકી પડી રહી છે. અચાનક બહાર પાડવામાં આવેલાં જાહેરનામાથી અફરાતફરી મચી ગઈ હતી. અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ હજુ વધવાનો ભય છે. આ ઉપરાંત જો કોરોનાનું સંક્રમણ હજુ વધ્યું તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે. આ અંગેની પિટિશન બાબતે હાઈકોર્ટ આગળ સુનાવણી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.