બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / People who have taken both doses of corona vaccine are 3 times less likely to get infected claims UK study

દાવો / કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારા માટે બ્રિટનના સ્ટડીમાં કરાયો મોટો દાવો, જાણો સંક્રમિત થવાનો ખતરો કેટલો

Published By: Bhushita

Last Updated: 09:24 AM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ડેટાથી ખ્યાલ આવે છે કે યૂકેમાં આપવામાં આવતી વેક્સિન દરેક વેરિઅન્ટની વિરોધમાં અસરકારક છે.

  • કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારા માટે મોટા સમાચાર
  • બ્રિટનના સ્ટડીમાં કરાયો મોટો દાવો
  • બંને ડોઝ લીધા બાદ ખતરાનું જોખમ 3 ગણું ઓછું

બ્રિટનના એક સ્ટડીમાં દાવો કરાયો છે કે જે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને કોરોના થવાની શક્યતા 3 ગણી ઓછી રહે છે. કોરોનાને લઈને યૂકેના સ્ટડીમાં એક કમ્યુનિટી ટ્રાન્સમિશનની રિયલ ટાઈમ એસેસમેન્ટ સ્ટડીમાં કહેવાયું છે કે ઈંગ્લેન્ડમાં સંક્રમણ 0.15થી 4 ગણું વધીને 0.63 ટકા થયું છે.  12 જુલાઈથી સંક્રમણ ઘટ્યું હતું.  અહીં વોલેન્ટિયર્સે સૂચન કર્યું કે વેક્સિનના બંને જો લઈ ચૂકેલા લોકોમાં સંક્રમણ ફેલાવવાની સંભાવના ઓછી રહે છે.  

શું કહે છે યૂકેના સ્વાસ્થ્ય સચિવ
સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે કહ્યું કે અમારું વેક્સિનેશન રોલઆઉટ રક્ષાની એક દિવાલ બનાવી રહ્યું છે. તેનો અર્થ એ છે કે પ્રતિબંધોને સાવધાનીથી ઘટાડી શકાય છે. આ સાથે પસંદગીની ચીજો પર પણ પરત આવી શકાય છે પણ સતર્ક રહેવાની જરૂર છે અને વાયરસ સાથે રહેતા શીખી લેવાની જરૂર છે.  

કોરોનાના દરેક વેરિઅન્ટના વિરોધમાં અસરકારક છે વેક્સિન
મળતી માહિતિ અનુસાર ફાઈઝરની વેક્સિન 96 ટકા પ્રભાવી છે. એસ્ટ્રાજેનેકા વેક્સિનના બંને ડોઝ બાદ 92 ટકા પ્રભાવ જોવા મળે છે. પીએચઈનું અનુમાન છે કે ઈંગ્લેન્ડમાં વેક્સીનેશનને 22 મિલિયન સંક્રમણને અને 52600ને એડમિટ થવાથી અને 35200થી 60000 મોતને રોક્યા છે.  રિઝલ્ટથી એ વાત પણ સામે આવી છે કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ તેમને કોરોનાની શક્યતા 3 ગણી ઓછી રહે છે. યૂકેના સ્વાસ્થ્ય સેવાના અુસાર 16 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે.  

શું છે ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોનાના એક દિવસના નવા કેસમાં વધારો થયો છે. આ સાથે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 45 હજાર 001 નોંધાયા છે તો  દેશમાં 40 હજાર 897 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા હોવાનું સામે આવ્યું છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 465ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 8 હજાર 271, તો કુલ કેસ 3 કરોડ 18 લાખ 55 હજાર 783 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 10 લાખ 8 હજાર 124 પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 26 હજાર 785 થયો છે. 

કેટલું થયું છે વેક્સિનેશન
ભારતમાં ગુરુવાર સુધીમાં વેક્સિનના 49 કરોડથી વધુ ડોઝ અપાયા છે. મળતી માહિતી અનુસાર કુલ 50.29 લાખથી વધારે ડોઝ અપાયા છે. મંત્રાલયના અનુસાર 24 કલાકમાં  18-44 વર્ષના 27,26,494 લોકોને પહેલો ડોઝ અને 4,81,823 લોકોને બીજો ડોઝ અપાયો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Both Dose Of Vaccine Coronavirus UK Vaccination કોરોના વાયરસ ખતરો દાવો બંને ડોઝ બ્રિટન વેક્સિન વેક્સિનેશન both doses of corona vaccine

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ