બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / People said these things to the leaders who go to campaign for BJP-Congress
ADVERTISEMENT
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ શહેરની ગલી-ગલીએ પોસ્ટર અને પત્રિકાઓ લઈને પહોંચી રહ્યા છે. ત્યારે ચૂંટણીના પ્રચારમાં મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરસપુરમાં કોંગ્રેસના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. પોળના પ્રવેશદ્વાર પર જ પોસ્ટર લગાવી કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટર લગાવી પોળમાં ન પ્રવેશવા કોંગ્રેસના ઉમેદવારને અનુરોધ કરાયો છે. પોસ્ટરના માધ્યમથી લોકો પૂછી રહ્યા છે કે, 5 વર્ષ અમે યાદ ન આવ્યા, કોંગ્રેસી કરો અમને માફ. જેવા સૂત્રો પણ જોવા મળે છે.

ADVERTISEMENT
તો આ તરફ સુરતમાં ચૂંટણી સમયે સોશિયલ મીડિયા વોર પણ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટથી રાજકીય પક્ષો મુંઝવણમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણીમાં વિરોધ અને વિકાસ વચ્ચે તક્ષશિલા અગ્નીકાંડ મુદ્દો ઉછળ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડના ફોટો સાથે પોસ્ટ થઈ રહી છે. જો કે, આ પોસ્ટમાં કોઈ પાર્ટીનો વિરોધ નહીં અને કોઈની તરફેણ પણ નથી.પણ અગ્નીકાંડની ઘટનાને લઈ ભાજપના મેયરની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા.

ADVERTISEMENT
ચૂંટણી પ્રચારમાં પાર્ટીઓનો બહિષ્કાર
મહીસાગરના ખાનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિકાસના કામોને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ખાનપુરના બાકોર ગામના લોકો દ્વારા રસ્તા અને પાણીની માગણી સરકારમાં અનેકવાર કરવા છતાં કામ ન થતા લોકોમાં રોષ છે. જેને ચૂંટણીમાં બહિષ્કાર કરીને ઠાલવી રહ્યા છે. ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી રાજકીય લોકોને આવવાની મનાઈ ફરમાવી દેવાઈ છે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.